1. Home
  2. ગુજરાતી
  3. ભાજપ-કેપ્ટન અમરિંદર સિંહનું સત્તાવાર ગઠબંધન જાહેર, હવે પંજાબની પીચ પર ઉતરશે કેપ્ટન
ભાજપ-કેપ્ટન અમરિંદર સિંહનું સત્તાવાર ગઠબંધન જાહેર, હવે પંજાબની પીચ પર ઉતરશે કેપ્ટન

ભાજપ-કેપ્ટન અમરિંદર સિંહનું સત્તાવાર ગઠબંધન જાહેર, હવે પંજાબની પીચ પર ઉતરશે કેપ્ટન

0
Social Share
  • અંતે ભાજપ-અમરિંદરનું સત્તાવાર ગઠબંધન
  • પંજાબની પીચ પર હવે કેપ્ટન ઇનિંગ રમવા ઉતરશે
  • બેઠક બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

નવી દિલ્હી: અંતે હવે પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ગઠબંધનની ઘોષણા કરી છે.

હવે સત્તાવાર રીતે પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના વડા અને પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ચૂંટણી ગઠબંધનની જાહેરાત કરી છે. આ અંગે કેપ્ટને કહ્યું હતું કે, આજે પંજાબ બીજેપી પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવત સાથે બેઠકોની વહેંચણીને લઇને ચર્ચા થઇ હતી અને બેઠકો નક્કી કરવામાં આવી હતી. ગજેન્દ્ર સિંહ સાથેની બેઠક બાદ કેપ્ટન અમરિંદર સિંહે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

શેખાવતને મળ્યા બાદ હવે તેઓ BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. હાલમાં એવું માનવામાં આવે છે કે ભાજપ પંજાબમાં 70 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. જ્યારે કેપ્ટનની પાર્ટી માટે 35 બેઠકો છોડવામાં આવશે.

બીજેપી ભલે પંજાબમાં સ્થાપિત પાર્ટી હોય, પરંતુ આ પહેલીવાર છે જ્યારે તે આખા પંજાબમાં ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહી છે. અકાલી દળ સાથે ગઠબંધનમાં રહીને ભાજપે ક્યારેય 23થી વધુ બેઠકો પર ચૂંટણી લડી નથી. આખા પંજાબમાં તેનું સંગઠનાત્મક માળખું હોવાની દાવો કરે છે, પરંતુ માલવામાં એવા ઘણા વિધાનસભા મતવિસ્તારો છે જ્યાં ભાજપનું માળખું છે, પરંતુ આધાર નથી.

તે જ સમયે, ખેડૂત આંદોલન સમાપ્ત થઈ ગયું હોવા છતાં, હાલ ખેડૂતોનું આંદોલન ભલે સમાપ્ત થઈ ગયું હોય, પરંતુ ખેડૂતોના મનમાં હજુ પણ તંગદિલી પ્રવર્તી રહી છે. આવી સ્થિતિમાં ભાજપનું વધુ ધ્યાન માત્ર શહેરી વિસ્તારો પર છે. જ્યાં ખેડૂત ચળવળની અસર નાની હતી અથવા તો અસ્તિત્વમાં ન હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code