- હવે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યમાં આવશે ગતિ
- કેન્દ્ર સરકારે ભરતપુરમાં બંસી પહાડપુર પથ્થરોની ખાણોના ખોદકામની મંજૂરી આપી
- કાયદેસર ખોદકામના આ નિર્ણયથી મંદિરનું કામકાજ ઝડપી બનશે
નવી દિલ્હી: હવે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યમાં ગતિ આવશે. કેન્દ્ર સરકારે રાજસ્થાનના ભરતપુરમાં બંસી પહાડપુર પથ્થરોની ખાણોના ખોદકામની મંજૂરી આપી છે. કેન્દ્રીય વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે ભરતપુરના બંશી પહાડપુરમાં રેતી અને પથ્થરના ખોદકામ માટે વન જમીનના પરિવર્તન માટે પ્રથમ સ્તરની મંજૂરી આપી દીધી છે. કાયદેસર ખોદકામના આ નિર્ણયથી અયોધ્યામાં હવે રામ મંદિરનું નિર્માણ કાર્ય વધુ વેગવંતુ બનશે.
ભારત સરકારની મંજૂરી સાથે બંશી પહાડપુરમાં માઇનિંગ બ્લોક્સની હરાજીનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ કાયદેસર ખાણકામ દ્વારા અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે રેતીનો પથ્થર ઉપલબ્ધ કરશે તેવું ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુબોધ અગ્રવાલે જણાવ્યું હતું.
દેશભરમાં બંશી પહાડપુર (Banshi Pahadpur) ના ગુલાબી અને લાલ પથ્થરની માંગને ધ્યાનમાં રાખીને, મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ગેરકાયદેસર માઇનિંગને રોકવા અને કાયદેસર માઇનિંગને મંજૂરી આપવા તમામ શક્ય પ્રયત્નો કરવા નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું કે બંશી પહાડપુરના પથ્થરની રામ મંદિર નિર્માણની માંગ હોવાથી રાજ્ય સરકાર માટે આ બાબત સંવેદનશીલ છે.
ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુબોધ અગ્રવાલે માહિતી આપી હતી કે રાજ્ય સરકારના પ્રયત્નોથી બંશી પહાડપુર (Banshi Pahadpur) વિસ્તારના 398 હેક્ટર વિસ્તારના ડાયવર્ઝન માટે પ્રથમ સ્તરની પરવાનગી બે દિવસ પહેલા 11 જૂન પર કેન્દ્રીય વન, પર્યાવરણ અને જળવાયું મંત્રાલયે જાહેર કરેલા આદેશમાં આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે હવે વિભાગ દ્વારા ટૂંક સમયમાં માઈનીંગ બ્લોક્સ હરાજી માટે તૈયાર કરવામાં આવશે અને ઇ-હરાજી દ્વારા તેમની હરાજી કરવામાં આવશે. આશરે અંદાજ મુજબ આ વિસ્તારમાં લગભગ 70 બ્લોક્સ વિકસિત થવાની સંભાવના છે.
સીમાંકન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ પ્રક્રિયા આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી ઇ-ઓક્શન વહેલી તકે પારદર્શક રીતે ભારત સરકારના ઇ-પોર્ટલ દ્વારા થઈ હરાજી શકે.