- જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સર્ચ ઑપરેશન
- જવાનોએ ત્રણ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
- જો કે એક ભારતીય જવાન પણ શહીદ
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના પુલવામાં જીલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જવાનોએ એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પુલવામામાં જવાનો અને આતંકીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે ભારતનો એક જવાન પણ શહીદ થયો છે. પોલીસ અધિકારી અનુસાર ગામમાં આતંકી હોવાની જાણ થતા જ ભારતીય સુરરક્ષા સેના દ્વારા પુલવામા જીલ્લાના હાજિન ગામને ઘેરી એક સર્ચ ઑપરેશન હાથ ધર્યુ હતું. જોત જોતામાં આતંકીઓ દ્વારા સેના પર ફાયરિંગ થતા જવાનોને જડબાતોડ જવાબ આપ્યો હતો અને સામે ગોળીબાર કર્યો હતો અને ત્રણ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો.
આ અંગે કાશ્મીરના IGP વિજય કુમારે જણાવ્યું હતું કે, આ ત્રણ આતંકોઓ મૃત્યુ પામ્યા છે અને હજુ પણ બીજા આતંકીઓની તપાસ અને શોધખોળ ચાલુ છે. શરૂઆતના ગોળીબારમાં ભારતનો એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો જેને બાદમાં હોસ્પિટલ ખસેડતા ત્યાં તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ જવાનોએ જવાબી પ્રતિક્રિયામાં 3 આતંકીઓને ઢેર કર્યા હતા.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી આતંકીઓ જમ્મૂ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે અને ગોળીબાર પણ કરી રહ્યા છે ત્યારે ભારતીય જવાનો પણ ખડેપગે દેશની રક્ષા કરી રહ્યા છે અને આતંકીઓનો ખાત્મો બોલાવી રહ્યા છે.