1. Home
  2. ગુજરાતી
  3. નવરાત્રી મહોત્સવઃ તેલંગાણામાં કરન્સી નોટોથી માતાજીની મૂર્તિ અને મંદિરને શણગારાયું
નવરાત્રી મહોત્સવઃ તેલંગાણામાં કરન્સી નોટોથી માતાજીની મૂર્તિ અને મંદિરને શણગારાયું

નવરાત્રી મહોત્સવઃ તેલંગાણામાં કરન્સી નોટોથી માતાજીની મૂર્તિ અને મંદિરને શણગારાયું

0
Social Share
  • મંદિરને દાનમાં મળેલી ચલણી નોટોથી કરાયો શણગાર
  • ચલણી નોટોથી કરેલા શણગારથી ભક્તો પણ આશ્ચર્ય ચકિત થયાં
  • મંદિરમાં નવરાત્રિ મહોસત્વની કરાઈ રહી છે ઉજવણી

દિલ્હીઃ સમગ્ર દેશમાં હાલ પવિત્ર નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં નવરાત્રિ અને દૂર્ગાપૂજાના પવિત્ર દિવસોમાં માતાજાની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન તેલંગણામાં આવેલા સુપ્રસિદ્ધ કન્યકા પરમેશ્વરી દેવીના મંદિરમાં ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન મંદિરમાં દાનમાં મળેલી રકમથી માતાજી અને મંદિરને નવી કરન્સી નોટોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. રૂ. 4.44 કરોડની ચલણી નોટોથી શણગાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે.

તેલંગણાના મહેબૂબનગર જિલ્લામાં આવેલા કન્યકા પરમેશ્વરી દેવીના મંદિર નવરાત્રિના પાંચમાં નોરતેદાનમાં મળેલી રકમથી માતાજીની મૂર્તિ અને મંદિરને શણગારવામાં આવ્યું છે. માતાજીની મૂર્તિને મહાલક્ષ્મી દેવીના રૂપમાં સજાવવામાં આવ્યાં હતા. માતાજીની મૂર્તિ અને મંદિરને રૂ. 4.44 કરોડની ચલણી નોટોથી શણગારવામાં આવ્યાં હતા. આ નોટોમાં 2000, 500,200, 100, 50 અને 10 રૂપિયાની નોટ ઉપયોગમાં લેવામાં આવી છે. આ નોટોના સુંદર ફૂલ અને માળા બનાવામાં આવી હતી. એટલું જ નહીં મંદિરની દિવાલો પર પણ લગાવામાં આવી છે. કન્યકા પરમેશ્વરી દેવીના મંદિરની ભવ્યતા જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા. હકીકતમાં જોઈએ તો, અહીંના મંદિરમાં દર વર્ષે લાખો રૂપિયાનું દાન આવે છે અને આ રૂપિયાને મંદિરને ભવ્ય રીતે સજાવામાં આવ્યું હતું. મંદિરનો કરાયેલો શણગારને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code