1. Home
  2. ગુજરાતી
  3. નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત ડ્રોન મહોત્સવ 2022નું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત ડ્રોન મહોત્સવ 2022નું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત ડ્રોન મહોત્સવ 2022નું ઉદ્ઘાટન કરશે

0
Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સવારે 10 વાગ્યે ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ – ભારત ડ્રોન મહોત્સવ 2022-નું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન કિસાન ડ્રોન પાઇલટ્સ સાથે પણ વાતચીત કરશે, ઓપન એર ડ્રોન પ્રદર્શનના સાક્ષી બનશે અને ડ્રોન પ્રદર્શન કેન્દ્રમાં સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કરશે. ભારત ડ્રોન મહોત્સવ 2022 બે દિવસીય કાર્યક્રમ છે અને તે 27 અને 28 મેના રોજ યોજાઈ રહ્યો છે. મહોત્સવમાં સરકારી અધિકારીઓ, વિદેશી રાજદ્વારીઓ, સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, PSUs, ખાનગી કંપનીઓ અને ડ્રોન સ્ટાર્ટઅપ્સ વગેરેના 1600થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. પ્રદર્શનમાં 70થી વધુ પ્રદર્શકો ડ્રોનના ઉપયોગના વિવિધ કેસ પ્રદર્શિત કરશે. મહોત્સવમાં ડ્રોન પાયલોટ પ્રમાણપત્રો, પ્રોડક્ટ લોંચ, પેનલ ચર્ચાઓ, ફ્લાઈંગ ડેમોસ્ટ્રેશન, મેડ ઈન ઈન્ડિયા ડ્રોન ટેક્સી પ્રોટોટાઈપનું પ્રદર્શન વગેરેના વર્ચ્યુઅલ એવોર્ડ પણ જોવા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code