1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવા મંત્રીમંડળમાં ‘નો રિપીટ થિયરી’ : ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં 24નો સમાવેશ
નવા મંત્રીમંડળમાં ‘નો રિપીટ થિયરી’ : ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં 24નો સમાવેશ

નવા મંત્રીમંડળમાં ‘નો રિપીટ થિયરી’ : ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં 24નો સમાવેશ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી કરાયા બાદ નવા મંત્રીમંડળને લઈને વિવિધ અટકળો વહેતી થઈ હતી. ભૂપેન્દ્ર પટેલની લાંબી વિચારણા બાદ નો રિપીટ થીયરી અનુસાર મંત્રીમંડળની પસંદગી કરવામાં આવી હતી. આ મંત્રીમંડળમાં બે મહિલાઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી સહિત 11 કેબિનેટ મંત્રી, સ્વતંત્ર હવાલા સાથે પાંચ રાજ્યકક્ષાના તથા 9 મંત્રીઓએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

ગાંધીનગરમાં રાજભવન ખાતે આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે યોજાયેલા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતના રાજ્યપાલે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યાં હતા. નવા મંત્રીઓએ હાથમાં ગીતાજીને રાખીને શપથ લીધા હતા. અનેક સિનિયર નેતાઓને મંત્રીમંડળમાંથી પડતા મુકાવામાં આવતા આ નેતાઓ અને કાર્યકરો અંદરખાને નારાજ હોવાનું મનાઈ રહ્યું છે. જેથી પડતા મુકાયેલા સિનિયર નેતાઓને મનાવવાની પણ ભાજપના મોવડી મંડળ દ્વારા પ્રયાસો ચાલી રહ્યાં છે. જો કે, મંત્રી મંડળમાં સૂવર્ણ, ઓબીસી અને એસસી-એસટી સમાજના નેતાઓની મંત્રીમંડળમાં પસંદગી કરીને તમામ સમાજના લોકોને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 3, દક્ષિણ ગુજરાતના 6, સૌરાષ્ટ્રના સાત અને મધ્ય ગુજરાતના મુખ્યમંત્રી સહિત સાતઓનો સમાવેશ કરીને તમામ ઝોનને સાચવી લેવાયાં છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કેબિનેટમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુભાઈ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર અને અર્જુનસિંહ ચૌહાણનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુભાઈ ચૌધરી અને મનિષાબેન વકીલે રાજ્યકક્ષાના (સ્વતંત્ર હલાવો) મંત્રી તરીકે શપથ લીધા હતા. આવી જ રીતે મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડીંડોર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્ર પરમાર, રાઘવભાઈ મકવાણા, વિનોદ મોરડીયા અને દેવાભાઈ માલમે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં હતા. આજે શપથ ગ્રહણ કરનારા તમામ મંત્રીઓએ હવે ખાતાઓની ફાળવણી કરવામાં આવશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code