1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં દર વર્ષે TBના દોઢ લાખ દર્દીઓ, 2022ના અંત સુધીમાં TB નિર્મૂલન માટે સરકારનો નિર્ધાર
ગુજરાતમાં દર વર્ષે TBના દોઢ લાખ દર્દીઓ, 2022ના અંત સુધીમાં TB નિર્મૂલન માટે સરકારનો નિર્ધાર

ગુજરાતમાં દર વર્ષે TBના દોઢ લાખ દર્દીઓ, 2022ના અંત સુધીમાં TB નિર્મૂલન માટે સરકારનો નિર્ધાર

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં એક સમયે ટીબીના સૌથી વધુ કેસ નોંધાતા હતા. જોકે છેલ્લા કેટલાક વર્ષથી ટીબીના રોગના દર્દીઓમાં ઘટાડો થયો છે. હાલ દર વર્ષે દોઢ લાખ જેટલા દર્દીઓ નોંધાય છે. તેમજ અંદાજે દર વર્ષે પાંચ હજાર દર્દીઓ ટીબીના કારણે મૃત્યુ પામે છે. જો કે ગુજરાત સરકારે વર્ષ 2022ના અંત સુધીમાં ટીબી નિર્મૂલન માટેનો નિર્ધાર કર્યો છે. ત્યારે સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટીબી રોગ સંદર્ભે સેમિનારનું આયોજન કરાયું હતું.

ગુજરાતમાં ટીબીના રોગ સામે લોકોમાં જાગૃતી આણવા સરકાર દ્વારા અવાર-નવાર કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ટીબીના દર્દીને સારવારથી સંપૂર્ણ સાજો કરી શકાય છે. પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં ટીબીના દર્દીઓ સારવાર કરાવવા માટે આવતા નહોવાથી મૃત્યુંને ભેટતા હોય છે. તાજેતરમાં સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટીબી રોગ સંદર્ભે સેમિનારનું આયોજન કરાયું હતું. આ વિશેષ કાર્યક્રમમાં 150 જેટલા અલગ અલગ સંપ્રદાયના ધર્મગુરૂઓ હાજર રહ્યા હતા. તેમજ ધર્મગુરૂઓ થકી સમાજમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાયો હતો.

ગુજરાત ટીબી સોસાયટીના પ્રોજેકટ ડિરેક્ટરે  જણાવ્યું હતું કે દેશભરમાં ટીબીના દર્દીઓ વધતા ચિંતાનો વિષય બની રહ્યો છે.26 લાખ ટીબીના નવા દર્દીઓ દર વર્ષે ઉમેરાય છે જેની સામે 4.26 લાખ દર્દીઓ મૃત્યુ પામે છે. ગુજરાતમાં દર વર્ષે દોઢ લાખ નવા ટીબીના દર્દીઓમાં વધારો થાય છે ત્યારે 5 હજાર વ્યક્તિઓ દર વર્ષે ટીબીના કારણે મોતને ભેટે છે. મોટાભાગની વ્યક્તિને કોરોના થયા પછી ટીબી થવાની શક્યતા પણ વધુ જોવાઈ રહી છે આ બાબતને ગંભીરતાથી લઇ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમજ ગુજરાતને ટીબી મુક્ત કરવા અભિયાન હાથ ધરાયું હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code