1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રેવડી અને પરિવર્તનની વાતો કરનારાઓને પ્રજાને નકાર્યાઃ સી.આર.પાટીલ
રેવડી અને પરિવર્તનની વાતો કરનારાઓને પ્રજાને નકાર્યાઃ સી.આર.પાટીલ

રેવડી અને પરિવર્તનની વાતો કરનારાઓને પ્રજાને નકાર્યાઃ સી.આર.પાટીલ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતની જનતાએ મોદીને પ્રેમ વધારે આપ્યો છે. ભાજપાએ ઈતિહાસ રચ્યો છે. પીએમ મોદી અને અમિત શાહે સમગ્ર રાજ્યમાં પ્રચાર-પ્રસાર કર્યો હતો. પ્રચાર પ્રસાર દરમિયાન સિનિયર નેતાઓનું માર્ગદર્શન મળ્યું છે. તેમ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે જણાવીને પ્રજા, ભાજપના નેતા-કાર્યકરોનો આભાર માન્યો હતો. ચૂંટણી પ્રચાર કાર્યકરો માટે યાદગાર પ્રસંગ હોય છે. મતદારોએ ભાજપના ઉપર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, અનેક રાજકીય પક્ષોએ મોટા-મોટા વાયદા કર્યાં હતા. પ્રજાને ગુમરાહ કરવા માટે વાયદા કર્યાં હતા. ગુજરાતની શાંતિને ડહોળવા માટે ચૂંટણીમાં ભાગ લીધો છે. ગુજરાત પોતાના સામાર્થને ઓળખે છે અને આવી ષડયંત્રકારી શક્તિઓને નકારીને ભાજપાને જીત અપાવી છે.

કેટલાક લોકોએ અમારી સરકાર બનશે તેવુ લખીને આપ્યું હતું. કેટલાક લોકોએ પરિવર્તનની વાતો કરી હતી. પરંતુ ગુજરાતની જનતાએ તેમને જવાબ આપ્યો છે. ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર વિકાસના નવા આયામ પ્રાપ્ત કરશે. સત્તા મેળવ્યા બાદ લોકોની સેવાની પરંપરા નવા પ્રતિનિધિઓ નિભાવશે. સરકારની 12મી ડિસેમ્બરના 2 કલાકે હેલિપેડ ખાતે થશે અને શપથ વિધીમાં પીએમ મોદી અને અમિત શાહ ઉપસ્થિત રહેશે. સૌથી વધારે બેઠકો, સૌથી વધારે મતની ટકાવારી અને સૌથી વધારે મતદાન મેળવવાનો ઈતિહાસ રચ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code