1. Home
  2. ગુજરાતી
  3. પંજાબ: કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 4 નેતાઓ પર હુમલાની ધમકી,ગૃહ મંત્રાલયે X કેટેગરીની સુરક્ષા આપી
પંજાબ: કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 4 નેતાઓ પર હુમલાની ધમકી,ગૃહ મંત્રાલયે X કેટેગરીની સુરક્ષા આપી

પંજાબ: કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 4 નેતાઓ પર હુમલાની ધમકી,ગૃહ મંત્રાલયે X કેટેગરીની સુરક્ષા આપી

0
Social Share

ચંડીગઢ:પંજાબમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ચાર નેતાઓ પર હુમલાનું જોખમ છે.IBના ધમકીના અહેવાલ બાદ ગૃહ મંત્રાલયે ચાર નેતાઓની સુરક્ષા વધારી દીધી છે.મંત્રાલયે તેમને X  કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે.

મળતી માહિતી મુજબ પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી બલબીર સિંહ સિદ્ધુ, ગુરપ્રીત સિંહ કાંગડ, પૂર્વ ધારાસભ્ય જગદીપ સિંહ નકઈ અને અમરજીત સિંહ ટિક્કાને આ સુરક્ષા મળી છે.હવે પેરામિલિટરી ફોર્સ (CRPF)ના જવાનો આ નેતાઓને સુરક્ષા આપશે.

ગયા મહિને ઓક્ટોબરમાં ગૃહ મંત્રાલયે પંજાબમાં જ ભાજપના 5 નેતાઓની સુરક્ષા વધારી દીધી હતી. ગુપ્તચર એજન્સીઓએ આ નેતાઓને હુમલાની ધમકી જણાવી હતી.આઈબીના એલર્ટ બાદ ગૃહ મંત્રાલય દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે જે નેતાઓની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે તેઓ હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે ભાજપમાં સામેલ થયા હતા.

આ નેતાઓને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.જે નેતાઓને આ સુરક્ષા આપવામાં આવી છે તેમાં પૂર્વ સાંસદ અમરીક સિંહ અલીવાલ, પૂર્વ ધારાસભ્ય હરજિંદર સિંહ કોન્ટ્રાક્ટર, પૂર્વ ધારાસભ્ય હરચંદ કૌર, પૂર્વ ધારાસભ્ય પ્રેમ મિત્તલ, પૂર્વ સંગઠન મહાસચિવ કમલદીપ સૈનીનો સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code