1. Home
  2. ગુજરાતી
  3. રાજનાથ સિંહ વિયેતનામના રક્ષા મંત્રીને મળ્યા,આ મુદ્દાઓ પર કરી ચર્ચા
રાજનાથ સિંહ વિયેતનામના રક્ષા મંત્રીને મળ્યા,આ મુદ્દાઓ પર કરી ચર્ચા

રાજનાથ સિંહ વિયેતનામના રક્ષા મંત્રીને મળ્યા,આ મુદ્દાઓ પર કરી ચર્ચા

0
Social Share

દિલ્હી : રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે ભારત અને વિયેતનામ વચ્ચે રક્ષા સહયોગ વધારવા માટે રાજધાની દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો માટે વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી જનરલ ફાન વાન ગિઆંગ સાથે મુલાકાત કરી હતી.

વિયેતનામના રક્ષામંત્રી ફાન વાન ગિઆંગ 18 થી 19 જૂન દરમિયાન ભારતની મુલાકાતે છે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે ગિઆંગે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી. ભારતીય રક્ષા મંત્રી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં બંને દેશો વચ્ચેના સંબંધોને એક મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવવામાં આવ્યો છે.

બંને દેશો વચ્ચે સંરક્ષણ, સૈન્ય, ઉચ્ચ સ્તરીય મુલાકાતો, તાલીમ કાર્યક્રમો, સંયુકત રાષ્ટ્ર શાંતિ સ્થાપના અને દ્વિપક્ષીય સેવાઓમાં વ્યાપક સંપર્ક સામેલ છે.

અગાઉ જૂન 2022માં રાજનાથ સિંહે વિયેતનામની મુલાકાત લીધી હતી. ત્યાં બંને દેશો વચ્ચે સંરક્ષણ ભાગીદારી પર સંયુક્ત વિઝન સ્ટેટમેન્ટ અને પરસ્પર લોજિસ્ટિક્સ સપોર્ટ પર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ સૌરભ કુમારે તાજેતરમાં વિયેતનામના રાષ્ટ્રીય સરહદ આયોગના ઉપાધ્યક્ષ ટ્રિન ડુક હાઈ સાથે વાતચીત કરી હતી. આ અંગે સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે સંરક્ષણ મંત્રાલયના પૂર્વ સચિવ સૌરભ કુમારે આજે વિયેતનામના રાષ્ટ્રીય સરહદ આયોગના ઉપાધ્યક્ષ ટ્રિન ડુક હાઈ સાથે મુલાકાત કરી. તેઓએ બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ સંબંધો સહિત અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવાની પણ વાત કરી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code