1. Home
  2. ગુજરાતી
  3. અદાણી વિદ્યા મંદિરનું કોવિડ સેન્ટર થયું શરૂ, જાણો દર્દીને દાખલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને વિગતો
અદાણી વિદ્યા મંદિરનું કોવિડ સેન્ટર થયું શરૂ, જાણો દર્દીને દાખલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને વિગતો

અદાણી વિદ્યા મંદિરનું કોવિડ સેન્ટર થયું શરૂ, જાણો દર્દીને દાખલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને વિગતો

0
Social Share
  • કોરોના સામેના તંત્રના સંઘર્ષમાં અદાણી ગ્રુપ સામેલ
  • અદાણી ગ્રુપે અમદાવાદમાં કોવિડ સેન્ટર શરૂ કર્યું
  • અદાણી ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળની અદાણી વિદ્યા મંદિરના સંકૂલમાં કોવિડ સેન્ટર શરૂ થયું
  • જાણો દર્દીને દાખલ કરવા માટેના જરૂરી માપદંડો

અમદાવાદ: ભારતના મહાનગરોને કોવીડ-૧૯ની મહામારીએ અભૂતપૂર્વ ભરડો લીધો છે. જેમાંથી અમદાવાદ પણ બાકાત નથી. રોજબરોજ નવા હજારો કેસ આવી રહ્યા છે તેની સામે શહેરની તબીબી સવલતો ઉપર અકલ્પનિય દબાણ વધી રહ્યું છે. એકાએક સર્જાયેલી આ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા અમદાવાદમાં વધુ સંભાળ, પુષ્કળ જગ્યા અને મદદના જાજા હાથ ની જરુર છે.

આ જીવલેણ વાયરસ સામેની જંગમાં રાજ્ય સરકારના અથાગ પ્રયાસોના સમર્થનમાં અદાણી ગ્રૂપે અમદાવાદમાં કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. અદાણી ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ સંચાલિત અમદાવાદના મકરબા વિસ્તારમાં સ્થિત અદાણી વિદ્યા મંદિર સંકૂલને કોવિડ સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે અને કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે હવે આ કોવિડ સેન્ટર શરૂ થઇ ચૂક્યું છે.

અમદાવાદ શહેરમાં આવેલ સરકારી અને ખાનગી આરોગ્ય માળખા ઉપરનું ભારણ ઘટે તે હેતુથી શરુ થનારા આ સેન્ટરમાં પોતાના પરિવારોથી આઇસોલેશનમાં રહેલા લોકોની સંભાળ લેશે. આઇસોલેશન હેઠળના લોકો માટેની આ સગવડથી તેમના પરિવારના અન્ય સદસ્યોનું પણ સંક્રમિત થવા સામે રક્ષણ થશે અને કોવિડ-૧૯ના ફેલાવાની ગતિને ધીમી પાડવામાં ભાગ ભજવશે.

અદાણી વિદ્યા મંદિર કોવિડ સેન્ટરમાં દર્દીને દાખલ કરવા માટે નીચે મુજબના માપદંડ છે

  • અહીં હળવા અથવા લક્ષણ વગરનાં કોવિડ દર્દીઓ જેમને હોમ આઇસોલેશનની જરૂર છે તે દાખલ થઇ શકે છે
  • હાલમાં જે દર્દીની પરિસ્થિતિ અતિ ગંભીર હોય તેઓને માટે કોવિડ નિયુક્ત હોસ્પિટલમાં દાખલ થવું હિતાવહ છે
  • અદાણી વિદ્યા મંદિર કોવિડ સેન્ટરમાં દાખલ થવા માટે દર્દીની પરિસ્થિતિ અંગે પહેલા અદાણી વિદ્યા મંદિરના ડોક્ટર દ્વારા પરિક્ષણ કરવામાં આવશે. જે નીચે મુજબ છે.

શરત 1 – RT-PCR અથવા રેપિડ પોઝિટિવ રિપોર્ટ (ખાનગી અથવા સરકારી) વધુમાં વધુ 72 કલાક સુધીનો.

શરત 2 – ઓક્સિજન લેવલ 95થી વધુ હોવું જોઇએ.

શરત 3 – 6 મિનિટ ચાલ્યા પછી ઓક્સિજન લેવલ 94-95 કરતાં વધારે હોવું આવશ્યક છે.

હાલમાં સંસ્થાના કોવિડ કેર સેન્ટરમાં ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓને ધ્યાનમાં રાખતા નીચે પ્રમાણેના દર્દીઓને અન્ય સુવિધા ધરાવતી હોસ્પિટલમાં દાખલ થવું હિતાવહ રહેશે.

1 – દર્દી પહેલેથી ઓક્સિજન પર હોય (> 5 લિટર પ્રતિ મિનિટ)

2 – દર્દીને વેન્ટિલેટરની જરૂર હોય અથવા Bi Papની આવશ્યકતા હોય

3 – દર્દીને રેમડેસિવીર દવાની જરૂર હોય

4 – દર્દીને અનિયંત્રિત પ્રેશર અને /અથવા ડાયાબિટીસની બિમારી હોય

5 – દર્દીને દમની બીમારી અથવા ફેફસાંની બીમારી હોય

6 – દર્દીને કિડની ફેલ્યોર હોય

7 – દર્દીને યકૃતની બીમારી હોય

8 – દર્દીની ઉંમર 65 વર્ષ કરતાં વધારે હોય

9 – દર્દીનો CT ગંભીરતા સ્કોર 7 કરતાં વધારે હોય

10 – દર્દી પ્રેગનન્ટ અથવા ઉંમર 14 કરતાં ઓછી હોય અથવા માનસિક બીમારી હોય

11 – દર્દીને પહેલેથી કેન્સર, હૃદયરોગ અથવા ઓટોઇમ્યુન રોગ હોય

દાખલ થવા માટે આવશ્યક દસ્તાવેજો

  • દર્દી રેપિડ પોઝિટીવ હોય, એમને PHC/UHC/AMC સિવીલ હોસ્પિટલનો સંદર્ભ પત્ર જમા કરાવવાનો રહેશે.
  • આધાર કાર્ડની કોપી
  • ઓછામાં ઓછા બે સંબંધીઓના મોબાઇલ નંબર
  • હાલનું સરનામું જો આધાર કાર્ડ કરતાં જુદું હોય તો
  • દર્દી જોડે આવેલ સંબંધીનું ઓળખપત્ર જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ અથવા ઇલેક્શન કાર્ડની ઝેરોક્ષ કોપી
  • દર્દીઓ પોતાની સાથે લાવવાની વસ્તુઓ: મોબાઇલ ચાર્જર, ટુથપેસ્ટ, બ્રશ, હેર ઓઇલ, કાંસકો, ટુવાલ, નેપકીન, પાણીની બોટલ, નેઇલ કટર વગેરે. એકબીજાની વસ્તુઓની આપ-લે ના કરવી
  • દર્દીને યુનિફોર્મ અને માસ્ક કોવિડ સેન્ટરથી આપવામાં આવશે

અદાણી કોવિડ સેન્ટરને લગતી વધુ વિગતો માટે કૃપયા નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર ફોન કરવો.

મોબાઇલ નંબર – 63590 01088 (24X7 Helpline)

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code