1. Home
  2. ગુજરાતી
  3. પવિત્ર તુલસીનો નિયમિત ઉપયોગ આપણા આરોગ્ય માટે લાભકારી, જાણો તેના ફાયદા
પવિત્ર તુલસીનો નિયમિત ઉપયોગ આપણા આરોગ્ય માટે લાભકારી, જાણો તેના ફાયદા

પવિત્ર તુલસીનો નિયમિત ઉપયોગ આપણા આરોગ્ય માટે લાભકારી, જાણો તેના ફાયદા

0
Social Share

દિલ્હીઃ હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. દેશમાં ભાગ્ય જ એવુ ઘર હશે જ્યાં તુલસીનો છોડ ન હોય. તુલસીનો છોડ જેટલો પવિત્ર છે તેટલો જ ગુણકારી છે. તુલસીના અનેક પ્રકાર જોવા મળે છે. શ્યામ તુલસી, રામ તુલસી, વિષ્ણુ તુલસી, વન તુલસી, નીંબૂ તુલસી. તુલસીના આ પાંચેય પ્રકારના જુદા-જુદા ફાયદા છે.

  • તુલસી એક એન્ટીઓક્સિડેન્ટ છે તુલસીના અર્કના રસને પાણીમાં નાખીને પીવાથી રોગપ્રતિકાર શક્તિ વધે છે. તુલસીના અર્કને એક લીટર પાણીમાં નાખીને થોડા સમય બાદ તેનું સેવન કરવું જોઈએ.
  • એન્ટી-ફ્લૂનું કામ કરતી ગુણકારી તુલસી તાવ, ફ્લૂ, સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ, શરદી, ખાંસી, પ્લેગ, મેલેરિયા જેવી બીમારીમાં રાહત આપે છે.
  • તુલસી એન્ટી-બાયોટિક તરીકે પણ કામ કરે છે. દરરોજ તેનો ઉપયોગ કરવાથી શરીરમાં હાનિકારક તત્વો બહાર નીકળે છે.
  • તુલસીમાં એન્ટી-ઈફ્લેમેન્ટ્રીના તત્વો ભરપૂર હોય છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી રેડ બ્લડ સેલ્સનો શરીરમાં વધારો થાય છે.
  • જાણતારોના મત અનુસાર ગર્ભવતી મહિલાઓને ઉલટીની પરેશાની થાય છે. ત્યારે તુલસી લાભકારી સાબિત થાય છે.
  • મધ સાથે તુલસીનું સેવન કરવાથી શરદી-ખાંસી અને ગળામાં દુઃખાવાની સમસ્યામાંથી છુટકારો મળે છે.
  • મોઢામાંથી આવતી દૂર્ગંધથી તુલસીના ઉપયોગથી છુટકારો મળે છે. આ ઉપરાંત દાંતમાં દુઃખાવો અને મસૂડોમાંથી લોહી નીકળવાની સમસ્યામાં પણ રાહત મળે છે.
  • જાણકારોના મતે તુલસીને શરીર ઉપર લગાવવાથી મચ્છરોથી બચી શકાય છે.
  • કોઈ પણ ઈજા ઉપર તુલસીનો રસ લગાવવાથી સંક્રમણથી બચી શકાય છે.
  • કાનમાં દુઃખાવો થતો હોય તો તુલસીનો રસ કાનમાં નાખવાથી દુઃખાવામાં રાહત મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code