અમદાવાદ, 25 મે, 2026 – આકાશવાણીના 90 પ્રતિષ્ઠિત વર્ષોની દેશવ્યાપી ઉજવણીના સાતત્યમાં, આકાશવાણી અમદાવાદ બુધવાર, મે 27, 2026ના રોજ સાંજે 7:00 વાગ્યે દિનેશ હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે “AKASHVANI@90 – સુગમ સંગીત સમારોહ” શીર્ષક હેઠળ એક ભવ્ય સંગીતમય કાર્યક્રમના આયોજનની જાહેરાત કરતાં આનંદ અનુભવે છે.
આ પણ વાંચોઃ જલગાંવમાં કાર્યકર વિકાસ વર્ગમાં એલપીજીનો વિકલ્પ: સંઘનો અનોખો પ્રયોગ
આ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કલાકારો બિરેન પુરોહિત, અર્ચિત પટાડીયા, સૃષ્ટિ ત્રિપાઠી અને મીરાંદે શાહ દ્વારા મધુર પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે, જેઓ ભારતીય સંગીતના સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરતા અને સાંસ્કૃતિક પ્રસારણમાં આકાશવાણીના નોંધપાત્ર પ્રદાનને રેખાંકિત કરતા સુગમ સંગીતની ભાવપૂર્ણ પ્રસ્તુતિઓ રજૂ કરશે. આ કાર્યક્રમનું સંગીત નિર્દેશન પ્રખ્યાત સંગીતકાર શ્રી હસમુખ પટાડીયા દ્વારા કરવામાં આવશે.
ડિરેક્ટોરેટ જનરલ, આકાશવાણીના નેજા હેઠળ આયોજિત, આ કાર્યક્રમ આકાશવાણી@90 ઉજવણીનો એક અભિન્ન ભાગ છે, જે દાયકાઓથી જાહેર પ્રસારણ, સંગીત અને સાંસ્કૃતિક સંવર્ધનમાં આ સંસ્થાના અવિરત પ્રદાનની સ્મૃતિ રાખવા માટેનો છે.
આ પણ વાંચોઃ ગુજરાતના માર્ગોની ગ્રીન ટેક્નોલોજીથી કાયાપલટ, 20 માર્ગો પર કામગીરી શરૂ કરવામાં આવશે
અમદાવાદ આકાશવાણીના પ્રોગ્રામ હેડ શ્રી હિતેશ માવાણી અને શ્રી DDG (E) એન. એલ. ચૌહાણ તેમજ હેડ ઓફ ઓફિસ દ્વારા સંગીત પ્રેમીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, શ્રોતાઓ અને મીડિયાના સભ્યોને આ પ્રસંગને ગૌરવવંતો બનાવવા અને કાર્યક્રમને યાદગાર બનાવવામાં યોગદાન આપવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


