1. Home
  2. Tag "Corruption"

મોદીની ગેરેન્ટીનો મતલબ ફરીથી સત્તામાં આવશે તો બધાં વિપક્ષી નેતા જેલમાં હશે: મમતા બેનર્જી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં પાછા ફરશે, તો વિપક્ષના તમામ નેતાઓને જેલમાં મોકલી દેવામાં આવશે. તેમણે કહ્યુ છે કે 4 જૂન બાદ ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાના વાયદાનો અર્થ છે કે વિપક્ષી નેતાઓને લોકસભા ચૂંટણી બાદ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વ્યાપક ભ્રષ્ટાચાર, માત્ર નોટિસ આપીને સત્તાધિશો સંતોષ માને છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ મ્યુનિ કોર્પોરેશનમાં અધિકારીઓથી લઈને કર્મચારીઓમાં બેરોકટોક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું છે. કે, એએમસીનો એકપણ વિભાગ ભષ્ટ્રાચારથી મુક્ત નથી. વર્ષ 2023-24માં આજ દિન સુધી વર્ગ-1ના કુલ 24 અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. જેઓની ખાતાકીય તપાસ ચાલુ છે. ઉપરાંત વર્ગ – 2ના કુલ 162 અધિકારીઓ તેમજ વર્ગ-3 ના કુલ 77 […]

બેન્જામિન નેતન્યાહુની મુશ્કેલીઓ વધી,ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ફરી શરૂ થઈ ભ્રષ્ટાચારના કેસની સુનાવણી

દિલ્હી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. યુદ્ધના કારણે બે મહિનાના અંતરાલ પછી, ઇઝરાયેલની જિલ્લા અદાલત આજે એટલે કે મંગળવારથી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી ફરી શરૂ કરશે. 7 ઓક્ટોબરે હમાસે હુમલા શરૂ કર્યા બાદ ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર ભારે હુમલા કરી રહ્યું […]

કાશ્મીરઃ ભ્રષ્ટાચાર-આંતકવાદના ખોટા કેસમાં ફસાવીને નાણા પડાવવાના કેસમાં પોલીસ અધિકારીની ધરપકડ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ભ્રષ્ટાચાર અને આંતકવાદના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને નાણા પડાવવાના આરોપમાં પોલીસે ઉચ્ચ અધિકારી આદિલ શેખને ઝડપી લીધો હતો. ડીએસપી આદિલ શેખની સામે ટેરર ફંડીંગ કેસના આરોપીને બચાવવાનો પણ આરોપ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડીએસપી આદિલ વિરુદ્ધ નૌગામ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની ઉપર ભારતીય દંડ સંહિતાની કલમો […]

ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે,દેશમાં ભ્રષ્ટાચાર-જાતિવાદ માટે કોઈ સ્થાન નહીં હોય-PM મોદી

દિલ્હી: દેશની આર્થિક વૃદ્ધિને તેમની સરકારના નવ વર્ષના કાર્યકાળની રાજકીય સ્થિરતાની ‘સ્વાભાવિક સહ-ઉત્પાદ’ ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી છે કે 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બની જશે, જેમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સાંપ્રદાયિક્તા માટે કોઈ સ્થાન નથી. વડા પ્રધાન મોદીએ એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ફુગાવાને અંકુશમાં લેવાના પ્રયાસમાં કેન્દ્રીય […]

ભ્રષ્ટાચાર મામલે ભાજપાએ કોંગ્રેસ, આપ, આરજેડી અને જેડીયુ સહિતના પક્ષો ઉપર કર્યાં પ્રહાર

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય એજન્સીઓએ ગંભીર ગુનામાં સંડોવાયેલા મનતા રાજકીય આગેવાનો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. આ મુદ્દે વિપક્ષી નેતાઓ એકઠા થઈને કેન્દ્ર સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરી રહ્યાં છે. તેમજ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરાતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. દરમિયાન ભાજપાએ ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા ઉપર કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓને […]

કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથીઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ લોકસભામાં સામાન્ય બજેટ 2023-24 પર ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટની વિશેષતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. બજેટ 2023-24 ના સાર વિશે બોલતા, નાણામંત્રીએ કહ્યું કે, બજેટ રાજકોષીય સમજદારીની મર્યાદામાં ભારતની વિકાસ આવશ્યકતાઓની જરૂરિયાતોને સંતુલિત કરે છે. નાણામંત્રીએ લોકસભામાં કહ્યું કે, કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકારો […]

ખેડૂતોને ભ્રષ્ટાચાર અને વચેટિયાઓથી મુક્તિ મળીઃ પ્રહલાદસિંહ પટેલ  

દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આધુનિક ડિજિટલ ટેકનોલોજી આપીને સશક્ત અને ક્ષમતાવાન કર્યા છે. ડિજિટલ ટેક્નોલોજી દ્વારા ખેડૂતોને અનેક મુશ્કેલીઓ અને લૂંટમાંથી બચાવ્યા છે. ભ્રષ્ટાચાર અને વચેટિયાઓથી મુક્તિ મળી છે. તેમ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ રાજ્ય મંત્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું હતું. ડિજિટાઈઝેશન મારફતે સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી સહાય હવે સીધી ખેડૂતો સુધી પહોંચી રહી છે, […]

પાકિસ્તાનમાં પૂરપીડિતોને મળતી સહાયમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે, પાકિસ્તાન હાલ પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, એટલું જ નહીં દુનિયાભરના લોકો પાકિસ્તાનના પીડિત લોકોને માટે આગળ આવી રહ્યાં છે. તેમજ પૂરપીડિતોને મદદ કરવામાં આવી રહી છે પરંતુ મદદની રકમ પીડિતોને મળતી નહીં હોવાની ફરિયાદો ઉઠી છે. તેમજ રાહત સહાયમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યોની રાવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code