1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શાસન અને સુશાસન વચ્ચેનો ફરક આઠ વર્ષની અંદર દેશવાસીઓએ જોયોઃ સી.આર.પાટીલ
શાસન અને સુશાસન વચ્ચેનો ફરક આઠ વર્ષની અંદર દેશવાસીઓએ જોયોઃ સી.આર.પાટીલ

શાસન અને સુશાસન વચ્ચેનો ફરક આઠ વર્ષની અંદર દેશવાસીઓએ જોયોઃ સી.આર.પાટીલ

0
Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના આઠ વર્ષ પુર્ણ થયા છે. શાસન અને સુશાસન વચ્ચેનો ફરક આઠ વર્ષની અંદર દેશવાસીઓએ જોયો છે અને અનુભવ કર્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોની આશા-અપેક્ષાને પુર્ણ કરવા અનેક યોજના દરેક વર્ગના લોકો માટે જાહેર કરી તેનો લાભ લાભાર્થીને મળે તેની પણ ચિંતા કરી છે. તેમ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યુ હતુ.

તેમણે વધુમાં કહ્યું હતી કે, વડાપ્રધાનઍ કરેલ વિવિધ યોજના પૈકી આયુષ્યમાન ભારત યોજનામાં એક લાખ 18 હજાર જેટલા સેન્ટર ઉભા કરવામાં આવ્યા,18 કરોડ જેટલા આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા.સાડા ત્રણ કરોડ લોકોની સારવાર વિના મુલ્યે કરવામાં આવી છે.  કોરોનાની વૈશ્વીક મહામારી સયમે 190 કરોડથી વધુ રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આવી મહામારી સમયે દેશના વૈજ્ઞાનિકો પર ભરોસો રાખી તેમને પ્રોત્સાહન આપી દેશમાં એક નહી બે રસી  લાવ્યા. દેશવાસીઓને કોરોના સામે રક્ષણ અપાવવા ફ્રીમાં રસી આપી. આજે લોકો એક બીજાની આજૂબાજૂમાં બેસે છે તેનો જશ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જાય છે.

વિશ્વના દેશોએ પણ સ્વીકાર્યુ કે કોરોના મહામારીમાં સૌથી સારુ કામ ભારત દેશે કર્યું છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભો જે લાભાર્થીઓએ લીધો છે તે અંગે માહિતી આપી. દેશના યુવાનને સરળતાથી લોન આપી વ્યવસાય શરૂ કરી શકે તેવા પ્રયાસ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યો. પ્રધાનમંત્રી જનઘન યોજનાના દેશભરમાં 45 કરોડ 21 લાખ ખાતા ખુલ્યા.આ યોજનાની શરૂઆતમાં અન્ય રાજકીય પાર્ટીના નેતાઓ વિરોઘ કરતા હતા પરંતુ આ ખાતા ખુલ્યા પછી લાભાર્થીના ખાતામાં સિઘા રૂપિયા જમા થતા.  પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજનાના કુલ 31.90 લાખ લોન મંજૂર કરી છે.

પ્રધાન મંત્રી ગરિબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ દેશવાસીઓને ફ્રીમા અનાજ આપ્યું છે. વન નેશન વન રેશન યોજના હેઠળ અઢી કરોડ લોકોએ લાભ લીધો.શૌચાલયનુ કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે શરૂ કર્યું અને લાલ કિલ્લા પરથી આ યોજનાની જાહેર કરી અને આજે આશરે 11 કરોડ જેટલા શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં એક કરોડ 34 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી જેના કારણે યુવાનોને તેમના ગમતા ક્ષેત્રેમાં નોકરી પણ મળી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 8 વર્ષ દરમિયાન કરેલ સેવાકીય કામોથી લોકો આજે પણ કહે છે કે સુશાસન તો નરેન્દ્રભાઇ મોદી જેવુ હોવું જોઇએ. કાશ્મીરમાં કલમ 370ને દુર કરવા લોકોની લાગણી હતી તેને પણ સરકારે એક ઝાટકે દુર કરી. સિમાઓને સુરક્ષીત કરવામા આવી,મુસ્લિમ સમાજની બહેનોને ત્રિપલ તલાકનો કાયદો લાવી સલામતી આપી છે. આવનાર દિવસમાં વધુ સારી કલ્યાણકારી યોજનાઓ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

પાટીલ વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારની આઠ વર્ષની કાર્યકાળની ઉજવણીના અનુસંઘાને ભાજપ ગુજરાત પ્રદેશ દ્વારા 15 દિવસ સુધી અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવશે.

રાજયના મુખ્યમંત્રીએ કહ્યુ  કે, 8 વર્ષના સાશનમાં આજે દેશ બદલાતો દેખાઇ રહ્યો છે. દેશમાં વર્ષો પછી શાસનમાં બદલાવ લાવવાળી સરકાર મળી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સેવાભાવ, સુશાસન, ગરિબનુ કલ્યાણ, યુવાનોને દિશા આપવી જેવા નિર્ણય કર્યા.ઉજાલા યોજના હેઠળ 36 લાખ એલ.ઇ.ડી. બલ્બનું વિતરણ કરવામાં આવ્યું.કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત 12 કરોડ ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા સિધા ખાતામાં જમા કરાવવામાં આવે છે. ગામડામાં રહેતા બહેનોને ધુમાડાથી મુકતી આપી બીમારીમાથી દુર કરવા આશરે 12 કરોડ બહેનોને વિનામુલ્યે એલપીજી ગેસના કનેકશન અપાયા  છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code