1. Home
  2. ગુજરાતી
  3. જાપાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે,ભારતને આપી શકે છે મોટી ભેટ
જાપાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે,ભારતને આપી શકે છે મોટી ભેટ

જાપાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે,ભારતને આપી શકે છે મોટી ભેટ

0
Social Share
  • જાપાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે
  • ફૂમિયો કિશિદા ભારતને આપી શકે છે મોટી ભેટ
  • 42 અબજ ડોલરના રોકાણની કરી શકે છે જાહેરાત

દિલ્હી:જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા આજે બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને 14મી ભારત-જાપાન સમિટમાં ભાગ લેશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,તેમની મુલાકાત દરમિયાન પીએમ ફૂમિયો કિશિદા ભારતમાં 42 અબજ ડોલરના રોકાણની યોજનાની પણ જાહેરાત કરી શકે છે. આ જાણકારી જાપાની મીડિયાએ આપી છે.કાર્યભાર સંભાળ્યા બાદ કિશિદા પ્રથમ વખત ભારતની મુલાકાતે છે.

જાપાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે,કિશિદા ભારતની તેમની પ્રથમ રાજદ્વારી મુલાકાત દરમિયાન આગામી પાંચ વર્ષમાં ભારતમાં 5 ટ્રિલિયન યેનના રોકાણની જાહેરાત કરશે.અહેવાલ મુજબ,કિશિદા 14મી ભારત-જાપાન વાર્ષિક સમિટ દરમિયાન જાહેર-ખાનગી ભંડોળ યોજનાની જાહેરાત પણ કરી શકે છે.કિશિદાનું 5 ટ્રિલિયન યેનનું રોકાણ 3.5 ટ્રિલિયન યેન કરતાં વધુ હશે.જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંજો આબેએ 2014માં ભારતની મુલાકાત દરમિયાન આ વચન આપ્યું હતું.

વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, જાપાનના પીએમ 14મી ભારત-જાપાન સમિટ માટે શનિવારથી બે દિવસની ભારતની મુલાકાતે આવશે.2018માં જાપાનમાં યોજાયેલી છેલ્લી સમિટના સાડા ત્રણ વર્ષ બાદ ભારત અને જાપાનના વડાપ્રધાનો વચ્ચે આ સમિટ યોજાવા જઈ રહી છે.કિશિદાએ ગયા વર્ષે 4 ઓક્ટોબર  ના રોજ જાપાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.કિશિદા આજે બપોરે ભારત પહોંચશે અને 20 માર્ચે એટલે કે આવતીકાલે સવારે વતન પરત ફરશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code