1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં આ જગ્યાઓ એવી છે કે જ્યાં લોકો દિવસે પણ જતા ડરે છે!
ભારતમાં આ જગ્યાઓ એવી છે કે જ્યાં લોકો દિવસે પણ જતા ડરે છે!

ભારતમાં આ જગ્યાઓ એવી છે કે જ્યાં લોકો દિવસે પણ જતા ડરે છે!

0
Social Share

ભારતમાં કેટલીક જગ્યાઓ વિશે લોકો કહે છે કે તે જગ્યાએ નકારાત્મક એનર્જી રહે છે, અને જો આ વાતને સાદી રીતે કહે તો લોકો માને છે કે ભારતમાં કેટલીક જગ્યાઓ પર ભૂત-પ્રેતનો અહેસાસ થાય છે. આ કારણે આ સ્થળો પર લોકો રાતે નો છોડો, પણ દિવસે પણ જવા માટે તૈયાર નથી. આવામાં જો વાત કરવામાં આવે કેટલાક સ્થળોની તો તે આ પ્રમાણે છે.

દિલ્હીના કેન્ટ રોડને લોકો ભૂતિયા કહે છે અને અહીંથી મુસાફરી કરતા લોકોનો દાવો છે કે સફેદ સાડીવાળી મહિલાનું ભૂત આ રોડ પર ફરે છે. કહેવાય છે કે આ રસ્તા પર ચાલતી એક મહિલા લિફ્ટ માંગે છે અને કાર રોકતી નથી, પરંતુ કારની સાથે દોડવા લાગે છે અને તેને હેરાન કરે છે. જો કે, આ અંગે કોઈ પુરાવા નથી. આ ઉપરાંત આ છે મુંબઈ-ગોવા હાઈવે પર આવેલા કશેડી ઘાટ, જેને લોકો ભૂતિયા રસ્તો માને છે. લોકોનું માનવું છે કે તેની સુંદરતા માટે પ્રખ્યાત આ જગ્યા રાત્રે ડરામણી બની જાય છે. રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહનોને એક મહિલા રોકે છે અને જે ડ્રાઈવર કારને રોક્યા વગર જ જવાનો પ્રયાસ કરે છે, તે અકસ્માતનો ભોગ બને છે.

તમિલનાડુના સત્યમંગલમ વન્યજીવ અભયારણ્યમાંથી પસાર થતા હાઈવેને પણ લોકો ભૂતિયા રસ્તો માને છે અને તેઓ કહે છે કે તે એકદમ ડરામણો રસ્તો છે. લોકોનું કહેવું છે કે ઘણી વખત તેઓએ શેરીઓમાંથી પસાર થતી વખતે અજાણ્યા લોકોનો અવાજ સાંભળ્યો અને પ્રકાશ પણ જોયો. જો કે હજુ સુધી આ વાતનો કોઈ પુરાવો મળ્યો નથી. કહેવાય છે કે આ જંગલમાં લૂંટારુ વીરપ્પન પણ રહેતો હતો, જેને પોલીસે પાછળથી મારી નાખ્યો હતો.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code