1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. યાત્રાધામ અંબાજીમાં 12મી ફેબ્રુઆરીથી પાંચ દિવસીય પરિક્રમા મહોત્સવમાં પ્રવાસીઓ ઉમટી પડશે
યાત્રાધામ અંબાજીમાં 12મી ફેબ્રુઆરીથી પાંચ દિવસીય પરિક્રમા મહોત્સવમાં પ્રવાસીઓ ઉમટી પડશે

યાત્રાધામ અંબાજીમાં 12મી ફેબ્રુઆરીથી પાંચ દિવસીય પરિક્રમા મહોત્સવમાં પ્રવાસીઓ ઉમટી પડશે

0
Social Share

અંબાજીઃ પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા.12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024’ નું આયોજન કરાયુ છે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે. પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે સુવ્યવસ્થિત આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે વહિવટી તંત્રની બેઠક મળી હતી.  મહોત્સવમાં આવનારા તમામ યાત્રિકોને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

યાત્રાધામ વિકાસ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ અંબાજી ખાતે યોજાનારા ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024’માં આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આ વર્ષે યોજાનારા આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

અંબાજી મંદિરના વહિવટદારના જણાવ્યા મુજબ  51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં મા અંબાના દર્શને આવનાર દરેક શ્રધ્ધાળુઓની તમામ વ્યવસ્થાઓ સચવાય અને આ પરિક્રમા એમના માટે એક યાદગાર પ્રસંગ બની રહે એ પ્રકારનું આયોજન કરવા આવી રહ્યું છે. આગામી વર્ષોમાં આ પરિક્રમા મહોત્સવ ભાદરવી પૂનમની જેમ શ્રદ્ધાળુઓ માટે સીમાચિન્હ રૂપ બની રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અંબાજી ગબ્બર ખાતે આવેલ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. આ મહોત્સવના દરેક દિવસે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમ કે મહોત્સવના પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા, બીજા દિવસે પાદુકા યાત્રા અને ચામાર યાત્રા, ત્રીજા દિવસે ધજા યાત્રા, ચોથા દિવસે મશાલ યાત્રા,ત્રિશૂળ યાત્રા અને જ્યોત યાત્રા તથા છેલ્લા દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ તથા સંસ્કૃતમાં અંતાક્ષરી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વધુમાં આ મહોત્સવ દરમિયાન દરરોજ ભજન સત્સંગ, મહાઆરતી, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન તથા અંતિમ દિવસે દાતાઓ, યજમાનઓ તથા બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા, બસોની સુવિધા, સુરક્ષા અને સલામતી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરાયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code