1. Home
  2. ગુજરાતી
  3. હળદરનો જો આ રીતે ઉપયોગ કરવામાં આવે તો ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે
હળદરનો જો આ રીતે ઉપયોગ કરવામાં આવે તો ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે

હળદરનો જો આ રીતે ઉપયોગ કરવામાં આવે તો ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે

0
Social Share
  • ચહેરાની કરચલીઓને કરો દૂર
  • હળદરનો કરો આ રીતે ઉપયોગ
  • ફેસપેક કરતા પણ વધારે ફાયદાકારક

ચહેરા પર ઉંમરની સાથે કરચલીઓ આવી જતી હોય છે. કેટલાક લોકો તેના માટે કેટલાક પ્રકારની ટ્રીટમેન્ટ કરાવે છે તો પણ તેમને રાહત મળતી નથી, આવામાં તે લોકોએ આયુર્વેદિક રીતનો ઉપયોગ કરવો જોઈએ. જેના ચહેરા પર કરચલી હોય છે તે લોકો હળદરનો આ રીતે ઉપયોગ કરે તો તેમના ચહેરા પરથી કરચલીઓ દૂર થઈ શકે છે અને ચહેરાની રોનક પણ વધી શકે છે.

જો હળદરનો ઉપયોગ ગુલાબહીપ સાથે કરવામાં આવે તો પણ તેનાથી ફાયદો થઈ શકે છે. એક ચમચી હળદરમાં જરુરી માત્રામાં ઠંડું ગુલાબહીપ તેલ ઉમેરવુ. એક સ્મૂધ પેસ્ટ બનાવી તેને ચહેરા તેમજ ગરદન પર લગાવો અને મસાજ કરો. તેને ત્વચા પર 15-20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ સાદા પાણીથી ધોઈ લો. જો જરૂરી હોય તો, હળવા ફેસ ક્લીન્સરનો ઉપયોગ કરો. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

હળદરથી ઘરે બનાવેલા ઘણા ફેસપેક ખીલથી માંડીને ઝીણી રેખાઓ અને કરચલીઓને દુર રાખવામાં મદદ કરી શકે છે. 1-2 ચમચી હળદર લઇ તેમાં થોડું દૂધ ઉમેરો અને તેને મિક્સ કરીને પેસ્ટ બનાવવી ચહેરા અને ગરદન પર સરખી રીતે લગાવવી. પેસ્ટને 15-20 મિનિટ માટે ચહેરા પર રહેવા દેવી અને પછી તેને સાદા પાણીથી ધોઈ લેવી. આ એન્ટિ એજિંગ ફેસ માસ્ક અઠવાડિયામાં 2-3 વખત વાપરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે આ હળદરનો આ રીતે ઉપયોગ કરવાથી કેટલાક લોકોને ફાયદો થઈ શકે છે, પરંતુ જે લોકોને સ્કિનની સમસ્યા હોય અથવા એલર્જી હોય તે લોકો કોઈ ફાયદા થઈ શકે નહી. તેથી આ આ માટે જે લોકો હળદરનો આ રીતે ઉપયોગ કરે તે લોકોએ જાણકારની સલાહ જરૂરથી લેવી જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code