1. Home
  2. ગુજરાતી
  3. પુડુચેરીમાં ઓમિક્રોનના બે કેસ નોંધાતા ખળભળાટ,દેશમાં કુલ સંખ્યા 655 થઇ
પુડુચેરીમાં ઓમિક્રોનના બે કેસ નોંધાતા ખળભળાટ,દેશમાં કુલ સંખ્યા 655 થઇ

પુડુચેરીમાં ઓમિક્રોનના બે કેસ નોંધાતા ખળભળાટ,દેશમાં કુલ સંખ્યા 655 થઇ

0
Social Share
  • ઓમિક્રોનનું વધતું જોખમ
  • પુડુચેરીમાં ઓમિક્રોનની દસ્તક
  • દેશભરમાં કુલ સંખ્યા 655 થઇ

પુડુચેરી :દેશભરમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન વધુ ખતરનાક બની રહ્યું છે. દેશના ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના કેસ વધતા જોવા મળી રહ્યા છે. આ ખતરનાક વાયરસે હવે કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પણ દસ્તક આપી છે. અહીં ઓમિક્રોનના બે કેસની પુષ્ટિ થઈ છે. જેમાં એક 80 વર્ષીય પુરુષ અને 20 વર્ષીય યુવતીનો સમાવેશ થાય છે. બંનેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

આરોગ્ય નિર્દેશક જી શ્રીરામુલુએ જણાવ્યું કે,વૃદ્ધ પુડુચેરીનો રહેવાસી છે અને યુવતી અહીંની કોલેજમાં અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહે છે.આરોગ્ય વિભાગે તે વિસ્તારોની મુલાકાત લીધી હતી જ્યાંથી બંને દર્દીઓ આવ્યા હતા.વિભાગ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે,શું તે કોઈના કોન્ટ્રેક્ટમાં આવ્યા હતા.

પુડુચેરીમાં બે નવા કેસ સામે આવ્યા બાદ ભારતમાં આ નવા વેરિયન્ટના કુલ કેસની સંખ્યા 655 થઈ ગઈ છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. અહીં ઓમિક્રોન વેરિયન્ટના સૌથી વધુ કેસ નોંધાયા છે.મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ 167 છે, જ્યારે દિલ્હીમાં અત્યાર સુધીમાં 165 છે. આ સિવાય કેરળમાં 57, તેલંગાણામાં 55 અને ગુજરાતમાં 49 કેસ નોંધાયા છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code