1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં પાણીનું સંકટ ટળ્યું, નર્મદાના નીર આજી ડેમમાં પહોંચ્યા
રાજકોટમાં પાણીનું સંકટ ટળ્યું, નર્મદાના નીર આજી ડેમમાં પહોંચ્યા

રાજકોટમાં પાણીનું સંકટ ટળ્યું, નર્મદાના નીર આજી ડેમમાં પહોંચ્યા

0
Social Share

રાજકોટઃ ઉનાળાના આગમન ટાણે જ રાજકોટમાં પાવીના પાણી સમસ્યા ઊભી થઈ હતી. આથી મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધિશોએ મુખ્યમંત્રીને રજુઆત કરીને આજી ડેમમાં સૌની યોજના હેઠળ પાણી ઠાલવવા માગ કરી હતી. સરકારે ત્વરિત નિર્ણય લઈને નર્મદાનું પાણી આજી ડેમમાં ઠાલવવાનો નિર્ણય લીધો હતો. તેથી નર્મદાના પાણી આજી ડેમમાં ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યુ છે. રાજકોટમાં પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં મર્યાદિત પાણીના સ્ત્રોત હોવાને કારણે ફેબ્રુઆરીના અંત સુધીમાં પાણી વિતરણ વ્યવસ્થા નર્મદા આધારિત થઇ જાય છે. આ વર્ષે પણ સમય સર નર્મદાનું પાણી ન પહોંચાડવામાં આવ્યું હોત તો શહેરમાં જળસંકટ ઉભું થાય તેવી સ્થિતિ ઉભી થઇ હતી. જો કે રાજ્ય સરકારે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની માંગને સ્વીકારીને આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરી દીધી છે. આજે ધોળીધજા ડેમ ખાતેથી ત્રંબા થઇને નર્મદાના પાણી આજી ડેમ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. શરૂઆતના તબક્કે 750 એમસીએફટી પાણી નર્મદામાં ઠાલવવામાં આવશે જેથી ચોમાસામાં કોઇ મુશ્કેલી નહિ પડે.આજી બાદ 350 એમસીએફટી પાણીનો જથ્થો ન્યારી ડેમમાં પણ ઠાલવવામાં આવશે.

આ અંગે શહેરના મેયરે જણાવ્યું હતું કે રાજકોટની પાણીની સ્થિતિ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને માહિતગાર કરવામાં આવ્યા હતા અને નર્મદાના નીરની માંગ કરવામાં આવી હતી જેને લઇને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ત્વરિત નિર્ણય લઇને રાજકોટને નર્મદાના નીર પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. આ પાણી આવવાથી ચોમાસા સુધી નિયમીત 20 મિનીટ પાણી આપી શકાશે.આ પાણી આવવાથી શહેરનું જળસંકટ હળવું થયું છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, નર્મદાના નીરની માંગણી મુકતાની સાથે જ સિંચાઇ વિભાગ દ્વારા 90 લાખ રૂપિયાના બિલની ઉધરાણી કરવામાં આવી છે. કેનાલ મારફતે પહોંચાડવામાં આવતા પાણીનો ચાર્જ અને તેના વ્યાજની રકમ મળીને કુલ 90 લાખ રૂપિયા થાય છે. આ વર્ષે પાણી મળે તે પહેલા ભુતકાળનું બિલ ચુકતે કરવા કહેવામાં આવ્યું છે. જો કે સરકારે પાણીનું બિલ વહિવટી પ્રક્રિયા હોવાનું જણાવ્યું હતું.

રાજકોટને પાણી પુરૂ પાડતા આજી 1 ડેમમાં 355 એમસીએફટી પાણીનો જથ્થો છે જે 10 માર્ચ સુધી ચાલશે. ન્યારી 1 ડેમમાં 845 એમસીએફટી પાણીનો જથ્થો છે જે 30 જૂન સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે જ્યારે ભાદર 1 ડેમમાં 31 જુલાઇ સુધી ચાલે તેટલું પાણી છે. રાજ્ય સરકાર પાસેથી મ્યુનિએ 1050 એમસીએફટી પાણીનો જથ્થાની માંગ છે જેમાં 700 એમસીએફટી પાણી આજી 1 ડેમમાં અને 350 એમસીએફટી પાણી ન્યારી 1 ડેમમાં ઢાલવવાની માંગ કરી છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code