1. Home
  2. ગુજરાતી
  3. દેવોના દેવ, મહાદેવની આ રીતે કરો પૂજા, આપની દરેક મનોકામના પુરી થશે
દેવોના દેવ, મહાદેવની આ રીતે કરો પૂજા, આપની દરેક મનોકામના પુરી થશે

દેવોના દેવ, મહાદેવની આ રીતે કરો પૂજા, આપની દરેક મનોકામના પુરી થશે

0
Social Share
  • મહાદેવની આ રીતે કરો પૂજા
  • શિવજી થશે પ્રસન્ન
  • દેવોના પણ દેવ છે મહાદેવ

કહેવાય છે કે મહાદેવ છે તે દેવોના પણ દેવ છે. સૌથી ભોળા ભગવાન એટલે ભોલેનાથ. મહાદેવ તો માત્ર એક લોટાજળથી પણ પ્રસન્ન થઇ જાય છે.જો કે મહાદેવને પ્રસન્ન કરવા માટે કોઇપણ દિવસે તેમની પૂજા કરી શકાય છે. સોમવારનો દિવસ શિવપૂજા માટે ખાસ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે શિવજીની આરાધના કરવાથી ભોળાશંકરની વિશેષ કૃપા મેળવી શકાય છે.

ગાયનું દૂધ દૂર કરશે તમામ દુ:ખ માન્યતા છે કે શિવપૂજામાં ગાયના દૂધનું વિશેષ મહત્વ છે જો કોઇ ભક્ત કોઇપણ પ્રકારની બિમારી કે રોગથી પીડિત હોય તો તેણે આ રોગ-બિમારીમાંથી મુક્તિ માટે ભગવાન શિવને ગાયનું કાચું દૂધ અર્પણ કરવું. પરંતુ શિવપૂજા વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે ભગવાન શિવને જળ કે દૂધ અર્પણ કરો ત્યારે કળશ તાંબાનો ન હોવો જોઇએ.

મનોકામના પૂર્ણ કરશે ગંગાજળ ભગવાન શિવની પૂજામાં ગંગાજળનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવે મોક્ષદાયિની ગંગાને પોતાની જટાઓમાં આશ્રય આપ્યો હતો. માન્યતા છે કે સોમવારના દિવસે ભગવાન શિવને માત્ર ગંગાજળ અર્પણ કરવાથી જીવન સાથે જોડાયેલ તમામ દોષ દૂર થશે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.

શત્રુઓ પર વિજય મેળવવા અને તેમનાથી જોડાયેલા ભયને દૂર કરવા માટે શિવપૂજામાં મહામૃત્યુંજય મંત્રની રુદ્રાક્ષની માળાથી જાપ કરવા જોઇએ.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code