1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કલોલમાં દૂષિત પાણીને લીધે કોલેરાના 11 કેસ નોંધાયા, પેથાપુરમાં ઝાડા-ઊલટીના 20 કેસ નોંધાયા
કલોલમાં દૂષિત પાણીને લીધે કોલેરાના 11 કેસ નોંધાયા, પેથાપુરમાં ઝાડા-ઊલટીના 20 કેસ નોંધાયા

કલોલમાં દૂષિત પાણીને લીધે કોલેરાના 11 કેસ નોંધાયા, પેથાપુરમાં ઝાડા-ઊલટીના 20 કેસ નોંધાયા

0
Social Share

ગાંધીનગર:  કલોલ શહેરમાં છેલ્લા મહિનાથી  ડહોળું પાણી આવવાની ફરિયાદ હતી. આ ફરિયાદના પગલે નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇનનું લીકેજ શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન 11 જેટલા કોલેરાના કેસ નોંધાતા નગરપાલિકાનું તંત્ર દોડતુ થઈ ગયુ છે. બીજી બાજુ ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં તાવ, ઝાડા, ઊલટીના 20 જેટલા કેસ નોંધાતા ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તમામ બાબતને ધ્યાનમાં રાખી ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા કલોલ નગરપાલિકા વિસ્તારની આસપાસના બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરતું જાહેરનામું બહાર પાડી દીધું છે.

કલોલ શહેરીમાં છેલ્લા ઘણા દિવસોથી ડહોળું પાણી આવતું હોવાની ઘણા વિસ્તારોમાંથી બૂમરાણ ઉઠી હતી. ત્યારે કલોલ વિસ્તારમાં એકસાથે 11 કોલેરાના દર્દીઓ નોધાયા હતા હતા. ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં પણ વીસ જેટલા તાવ અને ઝાડા ઊલટીના દર્દીઓ હોવાની બૂમ ઉઠી હતી. આરોગ્ય ટીમે ઘરે ઘરે સર્વેલન્સ શરૂ કરી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતાં.

સૂત્રોના જણાવ્યા મુજબ કલોલ શહેરમાં છેલ્લા પંદરેક દિવસથી જુમ્મા મસ્જિદ, મટવા કૂવા, બાંગ્લાદેશી છાપરા, અંકુમન વાડી વિસ્તાર તેમજ ગુલિસ્તાં પાર્ક વિસ્તારોમાં પણ ઝાડા ઊલટીના તેમજ તાવના દર્દીઓ મળી આવવાની શરૂઆત થઈ હતી. તેમ છતાં કલોલ નગરપાલિકાની તંત્ર કુંભ કર્ણની નિંદ્રામાં પોઢી ગયું હતું. ત્યારે અચાનક જ કોલેરાનાં દર્દીઓમાં ઉછાળો આવતાં જ કલોલ નગરપાલિકા તંત્ર હવે જઈને દોડતું થયું છે. એકસાથે 11 દર્દીઓ કોલેરાની બીમારીમાં સપડાતા નવ દર્દીને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. કલોલના બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી કલોલ પ્રાંત, મામલતદાર સહિત આરોગ્ય ટીમ દ્વારા ઘરે ઘરે સઘન સર્વેલન્સ હાથ ધરી તાવ તેમજ ઝાડા ઊલટીના દર્દીઓને જરૂરી દવા વિતરણ કરવામાં આવી હતી. બીજી તરફ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં પણ ઘણા દિવસોથી વીસેક જેટલા તાવ અને ઝાડા ઊલટીના દર્દીઓ નોધાયા છે. મનપા તંત્રને જાણ કરવામાં આવતા મ્યુનિ.કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો હતો. તેમજ શંકાસ્પદ દર્દીઓના બ્લડ સેમ્પલ લઈ જરૂરી દવા પણ આપવામાં આવ્યા હતા.

જિલ્લા કલેકટર હિતેશ કોયાએ કલોલના જુમ્મા મસ્જિદ, મટવા કૂવા, બાંગ્લાદેશી છાપરા, અંકુમન વાડી વિસ્તાર તેમજ ગુલિસ્તાં પાર્કનાં બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે. જેનાં પગલે સવારથી કલોલ પ્રાંત, મામલતદાર સહિત આરોગ્ય ટીમ દ્વારા અત્રેના વિસ્તારોમાં ધામા નાખવામાં આવ્યા છે. અહીં ઘરે ઘરે સઘન સર્વેલન્સ હાથ ધરી તાવ તેમજ ઝાડા ઊલટીના દર્દીઓને જરૂરી દવા પણ વિતરણ કરાઈ રહી છે. બીજી તરફ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારના પેથાપુરની સ્વપ્ન વીલા બંગલો વસાહતમાં પણ ઘણા દિવસોથી વીસેક જેટલા તાવ અને ઝાડા ઉલ્ટીના દર્દીઓ પ્રકાશમાં આવ્યા છે. જેનાં પગલે સોસાયટી દ્વારા મનપા તંત્રને જાણ કરવામાં આવતા આજ સવારથી જ કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code