1. Home
  2. ગુજરાતી
  3. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 19 લાખ મતદારો પ્રથમવાર કરશે મતદાન

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 19 લાખ મતદારો પ્રથમવાર કરશે મતદાન

0
Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં લગભગ 19 લાખ જેટલા નવા મતદારો પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરશે.

મધ્યપ્રદેશના ભોપાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને મુખ્ય ચૂંટણી પંચ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જે અંગે જાણકારી આપતા રાજીવ કુમારે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા સીટ છે. પહેલીવાર વોટ કરનાર મતદાતાઓની સંખ્યા 18.86 લાખ છે. જ્યારે 7.12 લાખ વૃદ્ધ મતદાતા છે જેમાંથી 6180 શતાયુ મતદાતા છે.  50 ટકા મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.  રાજ્યમાં 64 હજાર 523 મતદાન કેન્દ્રો હશે જેમાંથી  200 પોલિંગ સ્ટેશનોની કમાન મહિલાઓને સોંપવામાં આવશે.

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી મધ્યપ્રદેશના ખંડવામાંથી પાંચમી જન આશીર્વાદ યાત્રાને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે. જનતાના આશીર્વાદ મેળવવા ભાજપ દ્વારા 5 જન આશીર્વાદ યાત્રા યોજવામાં આવી રહી છે. જેમાં જનતા તરફથી પ્રતિભાવો પણ મેળવવામાં આવે છે જે આધારે ભાજપ ઘોષણા પત્ર તૈયાર કરશે. મધ્ય પ્રદેશમાં આ વર્ષે થનારી ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ જન સમર્થન મેળવવાના પ્રયાસમાં વ્યસ્ત બન્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 4 જન આશીર્વાદ યાત્રાની શરૂઆત તો અગાઉ જ થઇ ગઇ હતી. આ તમામ યાત્રા 25 સપ્ટેમ્બરે ભોપાલ પહોંચશે.  જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યકર્તા મહાકુંભને સંબોધન કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code