1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી આવતીકાલે બજેટ પર આયોજિત વેબિનારને સંબોધિત કરશે,16 મંત્રાલયો અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ પણ રહેશે હાજર
પીએમ મોદી આવતીકાલે બજેટ પર આયોજિત વેબિનારને સંબોધિત કરશે,16 મંત્રાલયો અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ પણ રહેશે હાજર

પીએમ મોદી આવતીકાલે બજેટ પર આયોજિત વેબિનારને સંબોધિત કરશે,16 મંત્રાલયો અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ પણ રહેશે હાજર

0
Social Share
  • PM નરેન્દ્ર મોદી બજેટ પર વેબિનારને સંબોધિત કરશે
  • રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ રહેશે હાજર
  • નિયમનકારોની ભાગીદારી પણ સામેલ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બજેટ 2022-23માં ગ્રોથને વેગ આપવાના માર્ગો પર આયોજિત વેબિનારને સંબોધિત કરશે.નાણા મંત્રાલયે રવિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન ‘ફાઇનાન્સિંગ ગ્રોથ એન્ડ એસ્પિરેશનલ ઇકોનોમી’ વિષય પર આયોજિત આ વેબિનારના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે.કેન્દ્ર સરકારના 16 મંત્રાલયો ઉપરાંત નીતિ આયોગ, ક્ષમતા નિર્માણ આયોગ અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.આ વેબિનાર નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં કરાયેલી જાહેરાતો પર આયોજિત વિવિધ કાર્યક્રમોનો એક ભાગ છે.

આ વેબિનાર દ્વારા જાહેર-ખાનગી ક્ષેત્રના નિષ્ણાતો અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વિવિધ ક્ષેત્રો માટે જાહેર કરાયેલા પગલાંના વધુ સારા અમલીકરણ માટે અસરકારક વ્યૂહરચના અને બજેટની જાહેરાતો ઓળખવા માટે ચર્ચા કરવામાં આવશે.

આ સિરીઝના ભાગરૂપે નાણા મંત્રાલય દ્વારા 8 માર્ચે ‘વિકાસ અને મહત્વાકાંક્ષી અર્થતંત્ર માટે ધિરાણ’ શીર્ષક સાથે પોસ્ટ-બજેટ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમાં RBI, SEBI, IFSCA, IRDAI, NABARD, GIFT સિટી, ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સ અને વિષય નિષ્ણાત/રોકાણકાર સમુદાય જેવા નિયમનકારોની ભાગીદારી પણ સામેલ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code