Homeગુજરાતી'હિન્દી ભાષા એ એકતાની ભાવના સ્થાપિત કરી છે', હિન્દી દિવસ પર ગૃહમંત્રી...

‘હિન્દી ભાષા એ એકતાની ભાવના સ્થાપિત કરી છે’, હિન્દી દિવસ પર ગૃહમંત્રી શાહે વીડિયો સંદેશ શેર કર્યો

દિલ્હીઃ- આજે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ મનાવવામાં આવે છે ત્યારે દેશના ગૃહમંત્રી અનમિત શાહે હિન્દી દિવસનું મહત્વ સમજાવતા એક વીડિયો સંદેશ શેર કર્યો છે અને હિન્દી દિવસની મહત્વતા સમજાવી છે.અમિત શાહે કહ્યું કે હિન્દી લોકશાહી ભાષા રહી છે. હિન્દીએ એકતાની લાગણી પ્રસ્થાપિત કરી છે.

આ સિવાય અમિત શાહે વીડિયો સંદેશમાં કહ્યું, ‘હિન્દી એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની ભાષાઓની વિવિધતાને એક કરવાનું નામ છે. આઝાદીની ચળવળથી લઈને આજ સુધી હિન્દીએ દેશને એક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હિન્દી ભાષાએ આઝાદીની ચળવળમાં દેશને એકસાથે બાંધવાનું અભૂતપૂર્વ કામ કર્યું છે. તેણે ઘણી ભાષાઓ અને બોલીઓમાં વિભાજિત દેશમાં એકતાની લાગણી સ્થાપિત કરી.
સંબંધિત લેખો

Most Popular