Homerevoinewsકે. અન્નામલાઈએ તમિળનાડુનાં પરિણામ અંગે કયા શબ્દોમાં પ્રતિભાવ આપ્યો? જાણો

કે. અન્નામલાઈએ તમિળનાડુનાં પરિણામ અંગે કયા શબ્દોમાં પ્રતિભાવ આપ્યો? જાણો

ચેન્નઈ, 4 મે, 2026 – તમિળનાડુનાં પરિણામ અંગે કે. અન્નામલાઈએ વિશિષ્ટ રીતે પ્રતિભાવ આપ્યો છે. દક્ષિણના આ મહત્ત્વના રાજ્યમાં ભાજપના દિગ્ગજ નેતા કે. અન્નામલાઈએ તેમની X પોસ્ટ દ્વારા ખૂબ સમજદારીભર્યું અને સંતુલિત વિશ્લેષણ કર્યું છે. તમિલનાડુમાં ભાજપના આ ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, રાજ્યમાં જે પરિવર્તન થયું છે તે સૌથી આવકારદાયક બાબત છે.

કે. અન્નામલાઈની એક્સ પોસ્ટનો સંપૂર્ણ ગુજરાતી અનુવાદ આ પ્રમાણે છેઃ

તમિલનાડુની જનતાના જનાદેશને હું નમન કરું છું. મારી ભૂમિ પર લોકો એક અવાજે જાગૃત થયા છે અને બોલ્યા છે, તે જોઈને આનંદ થયો:

1. મતોની ખરીદીને ‘ના’
2. વંશવાદી રાજકારણને ‘ના’

અને રાજકારણમાં પેઢીગત પરિવર્તનને ‘હા’.

જે કોઈ પણ આ પરિવર્તન લાવ્યું છે, તેણે ખરેખર સૌના પર ઉપકાર કર્યો છે!

તમિલનાડુના રાજકારણમાં શાનદાર શરૂઆત કરવા બદલ TVK અને તિરુ @TVKVijayHQ ને અભિનંદન અને શુભેચ્છાઓ. તમે જે કરવા ઈચ્છો છો તે પૂર્ણ કરવા માટે ઈશ્વર તમારી સાથે રહે.

અને તમામ NDA ઉમેદવારો માટે, આ મેદાન પરની એક આકરી લડાઈ હતી. જેઓ જીત્યા છે તેમને અભિનંદન, અને જેઓ આ વખતે જીત નોંધાવી શક્યા નથી, ચાલો આપણે લડતા રહીએ.

તિરુ @mkstalin અને તિરુ @Seeman4TN ને આ ચૂંટણીમાં તેમની હાર માટે સાંત્વના.

છેલ્લે અને સૌથી મહત્વનું, હું @BJP4TamilNadu ના મારા પ્રિય કાર્યકર્તાઓ અને નેતાઓનો આભાર માનું છું કે જેમણે મેદાન પર સખત મહેનત કરી છે. સારો સમય જલ્દી આવશે!

સંબંધિત લેખો

Most Popular