અમદાવાદઃ સ્વરાજ @ 75 સંઘર્ષ ભારત કે ‘સ્વ’ કા નામના પુસ્તકનું વિમોચન કરાશે
અમદાવાદઃ ભારતીય સ્વતંત્રતા આંદોલનને ‘સ્વ’ના દ્રષ્ટિકોણથી સમજવાના હેતુથી ખાસ રચિત પુસ્તક ‘સ્વરાજ @ 75 સંઘર્ષ ભારત કે સ્વ કા’નું રવિવારે અમદાવાદમાં વિમોચન કરવામાં આવશે. આ પ્રસંગે જોધપુર ટેકરામાં આવેલા શિવાનંદ આશ્રમના પ.પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે.
‘સ્વરાજ @ 75 સંઘર્ષ ભારત કે સ્વ કા’ નામના પુસ્તકનું આવતીકાલે ઈસરો નજીક જોધપુર ટેકરા વિસ્તારમાં આવેલા શિવાનંદ આશ્રમમાં વિમોચન કરવામાં આવશે. જેમાં મુખ્ય વક્તા તરીકે પશ્ચિમ કર્ણાવતીના મા. વિભાગ સંઘચાલક હરેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કર્ણાવતી દ્વારા કરવામાં આવ્યું છે.