1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં કોરોનાના વધુ 13,050 કેસ નોંધાયાઃ 131નાં મોત

ગુજરાતમાં કોરોનાના વધુ 13,050 કેસ નોંધાયાઃ 131નાં મોત

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં સોમવાર કરતા આંશિક વધારો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 13,050 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 131 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 12,121 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,64,396 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 131 લોકોના કોરોનાથી મોત થયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 22 લોકો અને સુરત શહેરમાં 8, રાજકોટમાં 9, વડોદરામાં 8 લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ 74,85 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદ શહેરમાં 4693  અને અમદાવાદ જિલ્લામાં 61,  સુરત શહેરમાં 1214, અને જિલ્લામાં 360, વડોદરા શહેરમાં 563, અને જિલ્લામાં 380, રાજકોટ શહેરમાં 593, અને જિલ્લામાં 133,  જામનગર શહેરમાં 397, અને જિલ્લામાં 331,  ભાવનગર શહેરમાં 391, અને જિલ્લામાં 81, ગાંધીનગર શહેરમાં 151, અને જિલ્લામાં 158, પાટણમાં 84, મહેસાણામાં 459, દાહોદમાં 162, પંચમહાલમાં 110, બનાસકાંઠામાં 100,  ભરૂચમાં 106 , ખેડામાં 198, મોરબીમાં 104,  કચ્છમાં 162, આણંદમાં 138, મહિસાગરમાં 195, નવસારીમાં 200,   સહિત કુલ 13,050  કેસ નોંધાયા છે. રાજયમાં 18થી 44 વર્ષ સુધીના આજે કુલ 52,528  લોકોને પ્રથમ રસીનો ડોઝ અપાયો છે. જ્યારે 45થી 60 વર્ષ અને તેનાથી વધુ વયના આજે કુલ 22,794 લોકોને પ્રથમ ડોઝ રસિકરણ કરવામાં આવ્યુ હતું.  રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી 4,64,396 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી. રાજ્યમાં કોરોનાના 148294 એક્ટિવ કેસો છે જેમાં 778 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code