1. Home
  2. ગુજરાતી
  3. આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ,જાણો શા માટે ઉજવીએ છીએ નવ દિવસનો તહેવાર, કઈ દેવીઓની પૂજા કરવામાં આવે છે
આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ,જાણો શા માટે ઉજવીએ છીએ નવ દિવસનો તહેવાર, કઈ દેવીઓની પૂજા કરવામાં આવે છે

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ,જાણો શા માટે ઉજવીએ છીએ નવ દિવસનો તહેવાર, કઈ દેવીઓની પૂજા કરવામાં આવે છે

0
Social Share

હિન્દુ ધર્મમાં ઘણા વ્રત અને તહેવારો ઉજવવામાં આવે છે.આ તહેવારો અને વ્રતનું વિશેષ મહત્વ છે.હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે.આમાંનો સૌથી મહત્વનો તહેવાર છે નવરાત્રી.નવરાત્રી એ દેવી માતા સાથે સંકળાયેલો તહેવાર છે, જેમાં 9 દિવસ સુધી માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.પ્રથમ દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે અને માતાને ઘરના મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.તે પછી, નવ દિવસ સુધી, માતા દેવી ભક્તોના ઘરે બિરાજે છે.આ દરમિયાન લોકો ઉપવાસ કરે છે.માતાની પૂજા, અર્ચના અને આરતી કરવામાં આવે છે.વર્ષમાં ચાર નવરાત્રી હોય છે, જેમાંથી ચૈત્ર અને શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ છે.શારદીય નવરાત્રી પછી તહેવારોની પ્રક્રિયા શરૂ થાય છે.આ વર્ષે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. તો,ચાલો જાણીએ નવરાત્રીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે અને 9 દિવસ સુધી કઈ નવ દેવીઓની પૂજા કરવામાં આવે છે.

હિંદુ માન્યતા અનુસાર, શારદીય નવરાત્રીનો તહેવાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે.આ વર્ષે શારદીય નવરાત્રી સોમવાર, 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે.આ નવ દિવસીય ઉત્સવ 4 ઓક્ટોબર, મંગળવાર સુધી ઉજવવામાં આવશે.શારદીય નવરાત્રી નવમી તિથિના રોજ સમાપ્ત થાય છે, ત્યારબાદ દશેરાનો તહેવાર બીજા દિવસે એટલે કે દશમી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે દશેરા 5 ઓક્ટોબરે છે.

નવરાત્રીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે?

શ્રીરામથી જોડાયેલ કથા

એવું માનવામાં આવે છે કે શારદીય નવરાત્રીની શરૂઆત ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે ભગવાન રામ માતા સીતાને રાવણથી મુક્ત કરવા માટે યુદ્ધ કરવા જઈ રહ્યા હતા, ત્યારે તેમણે રામેશ્વરમમાં સમુદ્રના કિનારે શારદીય નવરાત્રિની પૂજા કરી હતી.નવ દિવસ સુધી માતા શક્તિની ઉપાસના કર્યા પછી, દસમા દિવસે, શ્રી રામે રાવણને હરાવીને લંકા પર વિજય મેળવ્યો.આ કારણથી નવરાત્રીની પૂજાના નવ દિવસ પછી દશેરા દસમા દિવસે ઉજવવામાં આવે છે.

મા દુર્ગા સાથે જોડાયેલી કથા

એક દંતકથા અનુસાર, મહિષાસુર નામના રાક્ષસને બ્રહ્માએ વરદાન આપ્યું હતું કે,પૃથ્વી પર રહેતા કોઈ દેવ, દાનવ, વ્યક્તિ તેને મારી શકશે નહીં.વરદાન મળ્યા બાદ મહિષાસુરે પૃથ્વી પર આતંક મચાવ્યો હતો.માતા દુર્ગાનો જન્મ મહિષાસુરને મારવા માટે થયો હતો.માતા દુર્ગા અને મહિષાસુર વચ્ચે નવ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને અંતે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો.

દેવીના આ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે

પ્રથમ સ્વરૂપ – મા શૈલપુત્રી
બીજું સ્વરૂપ – માતા બ્રહ્મચારિણી
ત્રીજું સ્વરૂપ- મા ચંદ્રઘંટા
ચોથું સ્વરૂપ- મા કુષ્માંડા
પાંચમું સ્વરૂપ – માતા સ્કંદમાતા
છઠ્ઠું સ્વરૂપ – માતા કાત્યાયની
સાતમું સ્વરૂપ – મા કાલરાત્રી
આઠમું સ્વરૂપ – મા મહાગૌરી
નવમું સ્વરૂપ – માતા સિદ્ધિદાત્રી

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code