1. Home
  2. ગુજરાતી
  3. 1 એપ્રિલથી ઇન્કમ ટેક્સને લઇને લાગૂ થશે આ 5 નવા નિયમો
1 એપ્રિલથી ઇન્કમ ટેક્સને લઇને લાગૂ થશે આ 5 નવા નિયમો

1 એપ્રિલથી ઇન્કમ ટેક્સને લઇને લાગૂ થશે આ 5 નવા નિયમો

0
Social Share
  • આ વર્ષે સામાન્ય બજેટમાં, સરકારે કેટલાક નાણાકીય-કાયદાકીય ફેરફારો કર્યા છે
  • આ ફેરફારમાં ઇન્કમટેક્સ રિટર્નથી લઇને અનેક બાબતોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે
  • આ ફેરફારમાં ઇન્કમ ટેક્સ રિટર્નથી લઇને અનેક બાબતોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે

નવી દિલ્હી: આ વર્ષે સામાન્ય બજેટ, 2021માં મોદી સરકારે અમુક નાણાકીય તેમજ કાયદાકીય ફેરફારો કર્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં અમુક ઇન્કમ ટેક્સ કાયદામાં ફેરફાર કર્યા છે. જે આગામી મહિને કેટલીક એટલે કે 1લી એપ્રિલ, 2021થી લાગુ થશે. આ ફેરફારમાં ઇન્કમ ટેક્સ રિટર્નથી લઇને અનેક બાબતોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે. તો આવો જાણીએ આ તમામ ફેરફારો વિશે.

સરકારે EPFમાં વધુ રોકાણ કરનારા પક્ષકારો પર ટેક્સ લાદ્યો છે. સરકાર દ્વારા PFની વાર્ષિક ફાળવણીમાં 2.5 લાખથી વધુની રકમ પર ટેક્સ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય કર્મચારીઓના હિતમાં છે અને 2 લાખથી ઓછી આવક ધરાવતા કર્મચારીઓ પર આ બોજો લાગૂ નહીં થાય.

દેશમાં વધુને વધુ લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરતા થાય તે ઉદ્દેશથી TDS અને TCSના ઉંચા દર સૂચવ્યા છે. બજેટમાં સરકારે ઇન્કમ ટેક્સ એક્ટમાં સેક્શન 206AB અને 206CCAના સ્પેશ્યલ પ્રોવિઝન ઉમેર્યા છે. ઇન્કમ ટેક્સ ન ભરનારને પણ ટેક્સની જાળમાં લાવવા માટે સરકારે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ અને ટેક્સ ક્લેક્ટેડ એટ સોર્સમાં નોંધપાત્ર છૂટ આપી છે.

સરકારે વરિષ્ઠ નાગરિકોને લઇને મોટી છૂટ આપી છે, સરકારે ભારતના 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ આપી છે,. જો કે, મહત્વની પૂર્વશરત એ છે કે આ કરદાતાઓને પેન્શનની આવક અને બેંકના પેન્શન ખાતાના વ્યાજ સિવાયની અન્ય કોઇ આવક ના હોવી જોઇએ.

સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવામાં સરળતા રહે તે માટે નોકરીની પગાર આવક, ટેક્સ ચૂકવણી, ટીડીએસ અને અન્ય જરૂરી બાબતો અગાઉથી જ ફોર્મમાં ભરીને આપાવની જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે લિસ્ટેડ સિક્યોરિટીસમાંથી કેપિટલ ગેઈન, ડિવિડન્ડની આવક અને બેંકના વ્યાજની આવક, પોસ્ટ ઓફિસની આવકની વિગતો પણ અગાઉથી જ ભરીને આપવામાં આવશે.

સરકારે Leave Travel Concession (LTC) સામે રોકડ ચૂકવણીમાં ટેક્સ માફીની જાહેરાત કરી છે. કોરોના મહામારી દરમિયાન કર્મચારીઓ મુસાફરી ન કરી શકતા તેમને ટ્રાવેલ અલાઉન્સની સામે આ સ્કીમ જાહેર કરીને ગ્રાહક માંગ વધારવાનો નિર્ણય કર્યો હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code