1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યની સ્કૂલોમાં ધો-9 અને 11ના વર્ગો શરૂ કરવા કેબિનેટમાં લેવાશે નિર્ણયઃ શિક્ષણ મંત્રી

રાજ્યની સ્કૂલોમાં ધો-9 અને 11ના વર્ગો શરૂ કરવા કેબિનેટમાં લેવાશે નિર્ણયઃ શિક્ષણ મંત્રી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ધો-10 અને 12ના વર્ગો સ્કૂલમાં શરૂ કરવામાં આવ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ઘટતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવે ધો-9 અને 11ના વર્ગો ચાલુ કરવાનું સરકાર વિચારી રહી છે. આ અંગે તા. 27મી જાન્યુઆરીના રોજ મળનારી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ધોરણ 10-12ના વર્ગો શરૂ કર્યા બાદ વિદ્યાર્થી, વાલીઓ, શિક્ષકો અને શાળા સંચાલકો તેમ જ અધિકારીઓ પાસેથી ફીડબેક માગવામાં આવ્યા હતા. આ અંગે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન સાથે વિચારવિમર્શ કર્યા બાદ હવે આગામી સમયમાં ધો. 9-11 માટે નિર્ણય લેવામાં આવશે. રાજ્યમાં ધોરણ 9 -11ની શાળા શરૂ કરવા વિચારણા ચાલી રહી છે, જેની 27 જાન્યુઆરીએ મળનારી કેબિનેટ મીટિંગમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે. રાજ્યની શાળામાં સામાન્ય સ્થિતિ જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધો-10 અને 12ના વર્ગો શરૂ થયા છે. બીજી તરફ શિક્ષણ વિભાગના અધિકારીઓએ શરૂ કરી દીધી છે. આ તરફ સુરતમાં સ્કૂસો શરૂ થયા બાદ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ અને સ્કૂલ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ સહિત પાંચ વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code