DGCA એ એર ટિકિટ બુકિંગ તાત્કાલિક ઘોરણે બંધ કરવાનો ગો ફર્સ્ટને આપ્યો આદેશ
- DGCA એ ગો ફર્સ્ટને આપ્યો આદેશ
- એર ટિકિટ બુકિંગ તાત્કાલિક ઘોરણે બંધ કરવા જણાવ્યું
દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી ગોફર્સ્ટ એર કંપની ચર્ચામાં છે , આ એરલાઈને નાદારી નોંધાવી છે ગો એરલાઇન્સ (ઇન્ડિયા) લિમિટેડ (ગો ફર્સ્ટ) એ અગાઉ જણાવ્યું હતું કે તે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે ફાઇલ કરી રહી છે, અને નાણાકીય પરિસ્થિતિ સર્જાવવા માટે એન્જિન ઉત્પાદક પ્રેટ એન્ડ વ્હિટનીને દોષી ઠેરવી રહી છે.
ગોફર્સ્ટના CEOએ કહ્યું હતું કે જો NCLT લીઝ પર લીધેલા એરક્રાફ્ટને પાછા લેવા પર પ્રતિબંધ મૂકે છે, તો એરલાઇન્સ 7 દિવસમાં ફરીથી ઉડાન શરૂ કરી શકે છે. ટ્રિબ્યુનલે GoFirstને નાદાર જાહેર કરવાના વચગાળાના આદેશની માંગ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.
ત્યારે હવે ગરિક ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર, ડીજીસીએ, ગો ફર્સ્ટને પ્રત્યક્ષ અથવા પરોક્ષ પદ્ધતિઓ દ્વારા એર ટિકિટનું બુકિંગ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. DGCAએ ગોફર્સ્ટને 15 દિવસમાં નોટિસનો જવાબ આપવા માટે કહ્યું છે. ફ્લાઇટ રદ કરવાના GoFirstના અચાનક નિર્ણયને પગલે DGCA એ GoFirstને એરપ્રોફ્ટ નિયમો 1937 હેઠળ કારણ બતાવો નોટિસ જારી કરી છે અને IBC હેઠળ પોતાને નાદાર જાહેર કરવા માટે NCLTને અરજી કરી છે. DGCA માને છે કે એરલાઇન્સ વિશ્વસનીય સેવા પ્રદાતા તરીકે તેમની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહી છે.
ગોફર્સ્ટ આ નોટિસ મળ્યાના 15 દિવસની અંદર નોટિસનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ગોફર્સ્ટ ના એર ઓપરેટર્સ સર્ટિફિકેટ ચાલુ રાખવાનો નિર્ણય એરલાઇન્સના પ્રતિભાવના આધારે લેવામાં આવશે. આવી સ્થિતિમાં DGCAએ GoFirstને આગામી આદેશો સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એર ટિકિટ બુક કરવાનું બંધ કરવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે નાણાકીય સંકટનો સામનો કરી રહેલી ગોફર્એસ્ટ એર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલને વિનંતી કરી છે કે તે નાદાર જાહેર કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર વહેલો નિર્ણય આપે. એરલાઈન્સે NCLTને કહ્યું કે જો જલ્દી નિર્ણય લેવામાં નહીં આવે તો એરક્રાફ્ટ લીઝિંગ કંપનીઓ એરક્રાફ્ટ પાછું લઈ લેશે.