1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. બાળકોને લંચમાં બિલકુલ ન આપો આ વસ્તુઓ, સ્વાસ્થ્ય અને મગજ પર ખરાબ અસર કરે છે
બાળકોને લંચમાં બિલકુલ ન આપો આ વસ્તુઓ, સ્વાસ્થ્ય અને મગજ પર ખરાબ અસર કરે છે

બાળકોને લંચમાં બિલકુલ ન આપો આ વસ્તુઓ, સ્વાસ્થ્ય અને મગજ પર ખરાબ અસર કરે છે

0
Social Share

ખાવા-પીવામાં નખરા કરવા એતો બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે. બાળકો કંઈ પણ હેલ્ધી વસ્તુનાક ચડાયા વિના ખાય એવું ના બને. એવામાં બાળકોના લંચ માટે રોજ રોજ કઈંક હેલ્ધી અને ટેસ્ટી ડિશ બનાવવી એ ખુબ ચેલેન્જ વાળું કામ છે. બાળકોની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંન્ને માટે સારો એવો પૌષ્ટિક ખોરાક ખુબ જ જરૂરી છે. એવા ઘણા ઓપ્શન છે જે બાળકોના ટિફિનમાં આપી શકાય. પણ એ જાણવું પણ વધારે જરૂરી છે કે કઈ વસ્તુ બાળકોના ટિફિનમાં ન અપાય. એવી ઘણી વસ્તુઓ છે જે તેમને લંચમાં પેક કરીને આપો છો તો તેમની ઓવરઓલ હેલ્થને ખુબ નુકશાન કરે છે.

બાળકોના લંચમાં ઈન્સ્ટન્ટ નૂડલ્સ ન પેક કરો
બાળકોને બે મિનિટમાં બનાવવામાં આવતા નૂડલ્સનો સ્વાદ ખુબ જ ગમે છે. મોટેભાગે બાળકો તેમને ટિફિન લઈ જવાની જીદ કરે છે અને માતાપિતા તેના વિશે ઘણી વખત વિચારતા નથી. પરંતુ જો તમને તમારા બાળકનું સ્વાસ્થ્યને ગમે છે, તો પછી તેના લંચબોક્સમાં નૂડલ્સને પેક કરશો નહીં. મેદા અને ઘણા પ્રિઝર્વેટિવ્સથી ભરેલા નૂડલ્સ બાળકોના હેલ્થ અને ગટ હેલ્થ માટે બિલકુલ સારા નથી. આવી સ્થિતિમાં, બપોરના ભોજન દરમિયાન બાળકોને હેલ્ધી ખોરાકના બદલે નૂડલ્સ આપવું એ ખૂબ જ ખરાબ ઓપ્શન છે.

વધારે તળેલો ખોરાક આપવાથી પણ બચો
બાળકોને લંચમાં વધારે તળેલો ખોરાક આપવાનું પણ ટાળવું જોઈએ. બાળકોને દરરોજ કાચોરી, સમોસા, ફ્રેન્ચ ફ્રાઈસ, ચિપ્સ, ડમ્પલિંગ અથવા તળેલા નાસ્તા ન આપવા. ખાસ કરીને બજારમાં બનેલા તળેલા શેકેલા નાસ્તા બાળકોને ન આપવા જોઈએ. આમાં, અનહેલ્ધી ચરબીનું પ્રમાણ ખૂબ વધારે છે, જે બાળકોમાં વજન વધારવા અને પેટ સંબંધિત બીમારીઓનું કારણ બને છે. શક્ય તેટલું, બાળકોના ખોરાક માટે હેલ્ધી કુકિંગ મેથડ્સ જેમ કે ગ્રીલ, બોઇલ, બેક અને સ્ટીમનો ઉપયોગ કરો.

બાળકોના લંચમાં વાસી ખોરાક પેક ન કરો
રાતનો વધેલો ખોરાક ઘણીવાર પેરેન્ટ્સ ગરમ કરી બાળકોને ટીફિનમાં પેક કરી આપે છે. એ સમયે ભલે ખોરાક ફ્રેશ લાગે પણ બંધ ટિફિનમાં બપોર થતા થતા ખોરાકનો ટેસ્ટ ખરાબ થઈ જાય છે. તે સિવાય ખોરાકમાં ન્યુટ્રીશનલ વૈલ્યૂ પણ ખુબ ઓછી થઈ જાય છે. બપોર આવતા આવતા થઈ શકે છે કે ખોરાક ખરાબ થઈ જાય અને બાળક ખરાબ ખોરાક ખાઈ લે. તેનાથી તેની હેલ્થ પર ખરાબ અસર પડશે અને ખરાબ ખોરાકના મામલામાં તો ફૂડ પોઈઝનિંગનો ખતરો પણ થઈ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code