1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત : સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો છલકાયા
ગુજરાત : સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો છલકાયા

ગુજરાત : સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો છલકાયા

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે નવ જળાશયો 90% થી 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 31 ડેમ 70% થી 100% ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50% થી 70% ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 39 ડેમ 25 થી 50% ભરાયા છે. 

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,92,041 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 57.48% જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,09,663 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.28%જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ  ઉકાઈમાં 79, 274 ક્યુસેક જ્યારે સરદાર સરોવર યોજનામાં 72,382 ક્યુસેક, દમણગંગામાં 42,088 ક્યુસેક, રાવલમાં 13,100 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 65.58%, કચ્છના 20 જળાશયોમાં 52.23%, મધ્ય ગુજરાતના 17માં  44.01%, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 27.83% પાણીનો સંગ્રહ થયો છે તેમ,જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code