1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટાને લીધે શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો,
સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટાને લીધે શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો,

સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટાને લીધે શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો,

0
Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ઠંડીમાં ક્રમશઃ વધારા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધાતા વાયરલ બિમારીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ અને ખાનગી દવાખાનાં તેમજ ધ્રાંગધ્રા. લીંમડી. ચુડા, સાયલા, સહિત તમામ તાલુકાના હેલ્થ કેન્દ્રો પર દર્દીઓના લાઊનો જોવા મળી રહી છે. શરદી, ઉધરસ અને ફીવરના દર્દીઓમાં વધારો થયો છે. જિલ્લામાં વાઇરલ ઇન્ફેકશન અને ડબલ ઋતુને લઇને લોકો રોગચાળામાં સપડાઇ રહ્યા છે.

સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લામાં લોકો વાયરલ બિમમારીનો ભોગ બની રહ્યા છે. જેમાં બાળકો પણ શરદી, ઉધરસ તેમજ તાવની ઝપટમાં આવી જાય છે. ગાંધી હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં છેલ્લા એક માસમાં 1200ની ઓપીડી નોંધાઇ હતી. હાલમાં દૈનિક 50થી 70 જેટલી ઓપોડી રહે છે. સરકારી તેમજ ખાનગી દવાખાનામાં દર્દીઓની લાઈનો જાવા મળી રહી છે. સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં દૈનિક 450થી વધુ ઓપોડી નોંધાઇ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ શરદી. ઉધરસ અને ફીવરના દર્દીઓ વધી રહ્યા છે. તમામ તાલુકાના હેલ્થ કેન્દ્રોમાં પણ લાઈનો જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ગત નવેમ્બર મહિનામાં અંદાજે 1200 જેટલી બાળકોની જ ઓપોડી રહી હતી. ગાંધી હોસ્પિટલના ઈન્ચાર્જ સીડીએમઓ ડો.કેતન લીંબચિયાએ જણાવ્યું કે, બાળકોને જમવામાં ગરમ ખોરાક આપવો જોઇએ. ફ્રીજની ઠંડી વસ્તુઓ ટાળવી, વિટામિન-સી વાળા આંબળા, નારંગી જેવા ફળો પણ પ્રમાણસર આપવા જોઇએ. ઠંડીમાં બાળકો સાથે બહાર નીકળો તે ગરમ કપડા નાક, કાન ઢંકાઇ તે રીતે માસ્કનો પણ ઉપયોગ કરવો જોઇએ. સવારનો તડકો પણ લોકો-બાળકોએ પ્રમાણસર લેવો જોઇએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code