1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જમ્મુ-કાશ્મીર રસીકરણ મામલે મોખરેઃ- 100 ટકા લોકોનું થયું રસીકરણ
જમ્મુ-કાશ્મીર રસીકરણ મામલે મોખરેઃ- 100 ટકા લોકોનું થયું રસીકરણ

જમ્મુ-કાશ્મીર રસીકરણ મામલે મોખરેઃ- 100 ટકા લોકોનું થયું રસીકરણ

0
Social Share
  • જમ્મુમાં સૌથી વધુ રસીકરણ
  • 100 ટકા લોકોનું થયું રસી કરણ

શ્રીનગરઃ-સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બનતી જોવા મળી હતી ત્યારે રસીકરણને પણ વેગ આપવામાં આવ્યો છે, જેથી કરીને મોટા ભાગના લોકોને રસી આપીને કોરોના સામે સુરક્ષાત્મક પગલું ભરી શકાય ત્યારે દેશના કેટલાક જીલ્લાઓ એવા છે કે જ્યા અત્યાર સુધી મોટા પાયે વેક્સિન આપવાું કાર્ય પાર પાડવામાં આવ્યું છે.

કોરોના વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં, જમ્મુ-કાશ્મીર જીલ્લામાં વધુથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે,45 થી વધુ વયના લોકો માટે રસીકરણના સો ટકા લક્ષ્યાંકને પહોંચી વળતાં 100 ટકા રસીકરણ કરનાર પ્રથમ જીલ્લો બની ગયો છે. સૌથી ઓછું કુપવાડા જિલ્લામાં 27.70 ટકા રસીકરણ  થયું છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 62.66 ટકા લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.

જમ્મુમાં ગુરુવારે 2167 લોકોએ રસીકરણ સાથે સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ 5 લાખ 72 હજાર 994 લોકોને રસી આપવાનું લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યું છે.

જમ્મુ સંભાગમાં  ઉધમપુરમાં 64.35, રાજોરીમાં 55.69, કઠૂઆમાં 67.98 પુંછમાં 58.28,રામબનમાં 68.19 ડોડોમાં 49.21 કિશ્તવાડમાં 66.76 રિયાસીમાં 58.28 ટકા રસીકરણનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.જ્યારે પુલવામાં 49.87, શ્રીનગરમાં 35.72 બડગામમાં 65.60, બારામુલામાં 62.96  , બાદીપુરામાં 67.60 ટકા લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.

જમ્મુ-કાશ્મીરમાં રસીકરણની સ્થિતિ રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. રાષ્ટ્રીય સરેરાશ 32.17 ટકા છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 62.66 ટકા છે. જમ્મુ વિભાગમાં 28 લાખ 62 હજાર 436 અને કાશ્મીરમાં 13 લાખ 39 હદાર 720 લોકોને રસી આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ સમયે રસીકરણ તેમજ કોરોનાના સંદર્ભમાં આરોગ્ય સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code