1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કુંભમેળોઃ શ્રદ્ધાળુઓએ અગાઉથી કરાવવું પડશે રજીસ્ટ્રેશન
કુંભમેળોઃ શ્રદ્ધાળુઓએ અગાઉથી કરાવવું પડશે રજીસ્ટ્રેશન

કુંભમેળોઃ શ્રદ્ધાળુઓએ અગાઉથી કરાવવું પડશે રજીસ્ટ્રેશન

0
Social Share

દિલ્હીઃ હરિદ્વારમાં કુંભ મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોના મહામારી વચ્ચે યોજોનારા કુંભમેળાને લઈને તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓએ અગાઉથી નોંધણી કરાવી પડશે. સરકારી ગાઈડલાઈન અનુસાર આ વર્ષે કુંભ મેળો યોજાશે.

સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે હરિદ્વારમાં કુંભ મેળો યોજાવાનો છે પરંતુ અહીં આવનાર માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જેના માટે ખાસ વેબ પોર્ટલ તૈયાર કરાયું છે જેમાં દરેક યાત્રીકને નંબર મળશે જે તેની ઓળખ હશે. તા. 14 જાન્યુઆરીના મકરસંક્રાતિ સ્નાન માટે પણ અનેક સ્થળોએ કોરોના પ્રોટોકોલની સુવિધા ઉભી કરવામાં આવી છે.

ઉતરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહે ખુદે મેળાની સુરક્ષાની માહિતી મેળવી હતી. મેળાના એન્ટ્રી પોઇન્ટ પર એન્ટીજન ટેસ્ટ થશે અને તેના પરિણામ બાદ યાત્રિકને અંદર આવવા દેવાશે અને થર્મલ સ્ક્રેનીંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code