1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો હવે RT-PCR રિપોર્ટ પર QR કોડ ફરજીયાત
વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો હવે RT-PCR રિપોર્ટ પર QR કોડ ફરજીયાત

વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો હવે RT-PCR રિપોર્ટ પર QR કોડ ફરજીયાત

0
Social Share
  • જો તમે પણ કામકાજ માટે વિદેશ જવાનું પ્લાનિંગ કરતા હોય તો અગત્યના સમાચાર
  • હવે વિદેશ જતા મુસાફરોએ RT-PCR રિપોર્ટ પર QR કોડ દર્શાવવો પડશે
  • આ ક્યૂઆર કોડ ઓરિજીનલ રિપોર્ટ સાથે લિંક હોવો જોઇએ

નવી દિલ્હી: જો તમે પણ કોઇ કામકાજના હેતુસર દેશની બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ ન્યૂઝ તમારા માટે મહત્વના છે. હકીકતમાં હવે 22 મેથી દેશની બહાર જનારા લોકો માટે RT-PCR રિપોર્ટ પર QR કોડ જરૂરી રહેશે. આ ક્યૂઆર કોડ ઓરિજીનલ રિપોર્ટ સાથે લિંક હોવો જોઇએ. એરલાઇન્સ એર ઇન્ડિયા એક્સપ્રેસે આ નિર્ણય કર્યો છે. મુસાફરી માટે નકલી-બોગસ નેગેટિવ ટેસ્ટ રિપોર્ટના કિસ્સા બાદ કંપનીએ આ પગલું ઉઠાવ્યું છે.

બીજી તરફ નેધરલેન્ડે ભારતમાં જોવા મળતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા 1 જૂન સુધી ભારત તરફથી આવતી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. તેનું કારણ ભારતમાં વધતા કોરોનાના કેસ અને ગંભીર સ્થિતિ છે. નેધરલેન્ડની એમ્બેસીએ ટ્વીટ મારફતે આ જાણકારી આપી હતી.

નેધરલેન્ડ સરકારની વેબસાઇટ અનુસાર ભારત, દક્ષિણ આફ્રિકા અને મધ્ય અને દક્ષિણ અમેરિકાના દેશોમાંથી આવતા મુસાફરોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે. આ દેશોમાં નવો હાઈલી ઈન્ફેક્શિયસ કોવિડ વેરિઅન્ટ અસ્તિત્વમાં આવ્યો છે. ફ્લાઇટ્સને અટકાવવાનો હેતુ, આ પ્રકારનો વધુ રોગ નેધરલેન્ડ્સમાં ફેલાવો અટકાવવાનો છે. આ દેશોની પેસેન્જર ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 1 જૂન 2021 સુધી અમલમાં રહેશે. જો કે, એર ફ્રેટ ટ્રાન્સપોર્ટને આમાંથી મુક્તિ અપાશે. ઉપરાંત, હેલ્થકેર વર્કર્સ અને ડચ નાગરિકો સહિતના કેટલાક વર્ગના મુસાફરોને પણ આમાંથી મુક્તિ આપવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code