1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીકના પ્રશ્ને કૂલપતિના રાજીનામાંની માગ સાથે NSUIએ દેખાવો કર્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીકના પ્રશ્ને કૂલપતિના રાજીનામાંની માગ સાથે NSUIએ દેખાવો કર્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીકના પ્રશ્ને કૂલપતિના રાજીનામાંની માગ સાથે NSUIએ દેખાવો કર્યા

0
Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં BBA સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-5ના પેપર લીક થયાને ચાર દિવસ વિતી ગયા છતાં કસુરવારો સામે કોઈ કાર્યવાહી ન થતાં  NSUI દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો. ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ અને પ્રભારીની આગેવાનીમાં 150 જેટલા કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા અને યુનિ.ના કૂલપતિના રાજીનામાની માગ કરી હતી. જોકે કુલપતિ કે અન્ય કોઈ જવાબદાર સત્તાધીશો NSUIના આગેવાનોને મળ્યા નહોતા અને મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે NSUIનું ઘર્ષણ થયું હતું અને ધક્કામુકી થતાં દરવાજાના કાચ તૂટ્યા હતા અને પોલીસે NSUIના આગેવાન સહિત 15 જેટલા કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.

આ અંગે ગુજરાત NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં BBA સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-5ના પેપર લીક થયાને ચાર દિવસ વિતી ગયા છતાં કસુરવારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને યુનિવર્સિટીના સત્તાધિશો પેપરલિકકાંડના કસુરવારોને બચાવી રહ્યા છે. સરકાર દ્વારા કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હજુ સુધી કેમ કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી,  જે સ્પષ્ટ દર્શાવે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સરકારના ઈશારે કામ કરી રહી છે.  કુલપતિએ હવે રાજીનામું આપી દેવું જોઈએ. કૂલપતિની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે, તેથી જ અમે ધરણાં કરવા આવ્યા છીએ અને અમારી એક જ માગ છે કે કુલપતિ રાજીનામું આપે અને વિદ્યાર્થીઓ સાથે જ અન્યાય થયો છે તો આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  પેપર લીકના મામલે ચાર દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. જોકે  ચાર દિવસ થવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સોમવારે NSUIના આગેવાનોએ વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ કરવા પહોંચ્યા હતા. ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને ગુજરાતના પ્રભારી અંકુશ ભટનાગરની આગેવાનીમાં 150થી વધુ કાર્યકર્તા સાથે ઉગ્ર વિરોધ નોંધાવામાં આવ્યો હતો. સરકાર તેમજ કૂલપતિ વિરુધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કુલપતિ ચેમ્બર તેમજ યુનિવર્સિટી કેમ્પસમાં સરકાર વિરોધી તેમજ કુલપતિ વિરોધનાં સૂત્રો સાથે સ્ટિકર ચિપકાવવામાં આવ્યાં હતાં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code