પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ આત્મઘાતી હુમલો કરવાનું ઘડી રહ્યું છે કાવતરુંઃ જમ્મુ સહીતના કેટલાક વિસ્તારોમાં એલર્ટ જારી
- પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ આત્મઘાતી હુમલાના ફીરાકમાં
- જમ્મુ માં એલર્ટ જારી
- 10 જેટલા આતંકીઓ એ સીમા પાર કરી ઘુસણખોરી કરી
દિલ્હીઃ- પાકિસ્તાન અવારનવાર દેશની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્ન કરતું રહેતું હોય છે,ખાસ કરીને દેશના કેન્દ્ર સાશિત પ્રદેશ જમ્મુ કાશ્મીર તેમનો હંમેશાથી મોટો ટારગેટ હોય છે ત્યારે ફરી પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ જમ્મુ-કાશ્મીર અને ભારતના અન્ય વિસ્તારોમાં મોટા આત્મઘાતી હુમલા કરવાની યોજના ઘડી રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓ છેલ્લા બે વર્ષમાં કોઈપણ મોટો હુમલો કરવામાં નિષ્ફળ રહ્યા છે. જેના કારણે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ કોઈપણ ભોગે જૈશ-એ-મોહમ્મદના સંગઠન પર હુમલો કરવાનો આદેશ આપ્યો છે. ઘૂસણખોરી કરનારા આતંકીઓ મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. શિયાળામાં એલઓસી અને સરહદે ઘૂસણખોરી અટકાવવી હંમેશા મોટો પડકાર હોય છે. કારણ કે ખરાબ હવામાનને કારણે મોનિટરિંગ સાધનોમાં બાધાઓ આવતી હોય છે
ત્યારે હવે આ બાબતે મળતી માહિતી પ્રમાણે જૈશના 10 આતંકીઓની બે ટીમ સરહદ પાર કરીને ઘૂસણખોરી કરી ચૂક્યા છે.ત્યાર બાદ હવે ગુપ્તચર એજન્સીઓ દ્વારા વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે.બીજી તરફ સેના દ્વારા આવી કોઈ ઘૂસણખોરીની માહિતીને નકારી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, એક ટીમ પાકિસ્તાનના સક્કરગઢ વિસ્તારને અડીને આવેલી પંજાબ અને જમ્મુ બોર્ડરથી ઘૂસણખોરી કરી છે, જ્યારે બીજી ટીમે પૂંછ એલઓસીથી ઘૂસણખોરી કરી છે. આ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના છે અને તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકીઓને પાકિસ્તાનમાં બેઠેલા માસ્ટર્સ પાસેથી અલગ-અલગ સ્થળોએ આત્મઘાતી હુમલા કરવાના આદેશ મળ્યા છે.
જો કે હાલ ઘૂસણખોરીની કોઈ માહિતી નથી. પુંછના કેટલાક વિસ્તારો છે અહીંથી ઘૂસણખોરીનો હંમેશા પડકાર રહે છે. સેનાનો ચુસ્ત બંદોબસ્ત છે અને ઘૂસણખોરી પર નજર રાખવામાં આવી રહી છે.