1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર 30 એપ્રિલ સુધી નહીં મળે પ્લેટફોર્મ ટિકિટ

અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર 30 એપ્રિલ સુધી નહીં મળે પ્લેટફોર્મ ટિકિટ

0
Social Share
  • રેલવે વિભાગે લીધો મહત્વનો નિર્ણય
  • કોરોનાનું સંક્રમણ અટકાવવા નિર્ણય
  • આઠ શહેરોમાં રેલવે પ્લેટફોર્મની ટિકીટ નહીં મળે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં હોવાથી અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે અમદાવાદ રેલવે વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાગ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અમદાવાદ સહિત, વડોદરા, રાજકોટ સહિતના ગુજરાતના શહેરોમાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ 30 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવ્યુ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં અમદાવાદ અને સુરત સહિતના શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ સહિત 20 શહેરોમાં રાતના 8થી સવારે 6 કલાક સુધીનો કર્ફ્યુ નાખ્યો છે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ પણ સ્વૈચ્છીક બંધ સહિતના નિર્ણય લેવામાં આવે છે. રેલવે વિભાગ દ્વારા પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ સરકારી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. હવે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર ભીડને અટકાવવા માટે રેલવે ટિકીટના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્ચો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code