1. Home
  2. ગુજરાતી
  3. રાજ્ય સરકારે ખેડૂતોના હિત માટે લીધો આ મહત્વનો નિર્ણય, જાણો વિગત
રાજ્ય સરકારે ખેડૂતોના હિત માટે લીધો આ મહત્વનો નિર્ણય, જાણો વિગત

રાજ્ય સરકારે ખેડૂતોના હિત માટે લીધો આ મહત્વનો નિર્ણય, જાણો વિગત

0
Social Share
  • ગુજરાતના ખેડૂતોના હિત માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
  • રાજ્ય સરકારે પાક ધિરાણની રકમ ચૂકવવાની મુદત 30 જૂન સુધી લંબાવી
  • રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો કુલ 16.30 કરોડનો ખર્ચ ભોગવશે

ગાંધીનગર: ગુજરાતમાં ઘાતક કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોના પાક ધિરાણની રકમ ચૂકવવાની મુદત 30 જૂન સુધી લંબાવાની જાહેરાત કરી છે.

આ સાથે જ ખેડૂતો માટેના રાજ્ય સરકારના 4 ટકા તેમજ ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર ચૂકવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો કુલ 16.30 કરોડનો ખર્ચ ભોગવશે.

આ અંગે વધુ માહિતી આપતા સૂત્રોએ જણાવ્યું કે ખેડૂતે જે તારીખે કૃષિ ધિરાણ લીધું હોય તે એક વર્ષ પછીની એ જ તારીખે અથવા જે કોઈ કટ ઓફ ડેટ નક્કી થઈ હોય તે તારીખે, બંનેમાંથી જે વહેલી તારીખ હોય તે તારીખે ધિરાણ પરત કરવાનું રહેશે, પરંતુ હવે રાજ્ય સરકારે 30મી જૂન સુધી ધિરાણ પરત કરવાની ખેડૂતોને રાહત કરી આપી છે, આ કારણે જે વધારાનું વ્યાજ સહકારી બેન્કો કે સંસ્થાઓને ચૂકવવાનું થશે તેનો ખર્ચ હવે રાજ્ય સરકાર ભોગવશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code