દિલ્હીઃ- શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ગઈકાલે ગુરુવારના રોજથી ભારતની બે દિવસીય મુલાકાતે દિલ્હી આવી પહોચ્યા છે ગઈ કાલે એરપોર્ટ પર તેમનું કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને દ્રારા ભવ્ય સ્વાગત પણ કરવનામાં આવ્યું હતું ત્યાર બાદલ તેમણે વિદેશમંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી હતી ત્યાર બાદ આજરોજ શ્રીલંકન રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી મોદી સાથે દ્રિપક્ષીય મુલાકાત કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે નવી દિલ્હી ખાતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પીએમ મોદીને મળ્યા હતા.બંને નેતાઓ એકબીજાને ખૂબ જ ઉષ્માપૂર્વક મળ્યા હતા. પીએમ મોદી ઉપરાંત વિક્રમ સિંઘે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઘણા મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત કરી હતી. સાથે મંત્રણા કરી છે. આ મંત્રણા દરમિયાન શ્રી મોદી અને શ્રી વિક્રમસિંઘે પરસ્પર હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. આ સાથે જ કેટલાક સમજુતી કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે વિક્રમસિંઘે પીએમ મોદીના આમંત્રણ પર ભારત આવ્યા છે. ભારતે તેમની મુલાકાતને મહત્વપૂર્ણ ગણાવી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટી દરમિયાન ભારતે જે મદદ કરી હતી તે હજુ પણ ચાલુ છે. આ મદદથી શ્રીલંકાને ઘણો ફાયદો થયો છે.
વિક્રમસિંઘે પીએમ મોદીના આમંત્રણ પર ભારત આવ્યા છે. ભારતે તેમની મુલાકાતને મહત્વપૂર્ણ ગણાવી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટી દરમિયાન ભારતે જે મદદ કરી હતી તે હજુ પણ ચાલુ છે. આ મદદથી શ્રીલંકાને ઘણો ફાયદો થયો છે.
એટલું જ નહી શ્રીલંકાના રાષ્ટ્રપતિ આજે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે રાષ્ટ્રભવન ખાતે મુલાકાત કરી છે. ઉલ્લેખનીય છે કે, શ્રી વિક્રમસિંઘે ભારતની બે દિવસીય મુલાકાત માટે ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ કાર્યાલય સંભાળ્યા બાદ શ્રી વિક્રમસિંઘેની આ પહેલી મુલાકાત છે.