1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશઃ અયોધ્યા સહિત 46 રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ઉત્તરપ્રદેશઃ અયોધ્યા સહિત 46 રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ઉત્તરપ્રદેશઃ અયોધ્યા સહિત 46 રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

0
Social Share

દિલ્હીઃ દિવાળીના તહેવારોમાં જ ઉત્તરપ્રદેશમાં બોમ્બ બ્લાસ્ટને લઈને ગુપ્તચર એજન્સીએ પોલીસ તંત્રને સાબદુ કર્યું છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નામ ઉપર ધમકી ભર્યો પત્ર મળ્યો છે. લખનૌ, અયોધ્યા, કાનપુર અને વારાણસી સહિત 46 રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીને પગલે રેલવે સ્ટેશનો ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. એલર્ટ બાદ લખનૌ અને કાનપુર સહિતના રેલવે સ્ટેશન ઉપર આરપીએફ, જીઆરપી અને પોલીસએ ડોગ સ્ક્વોડની મદદથી ટ્રેનોની તપાસ કરી હતી. તેમજ તમામ રેલવે સ્ટેશન ઉપર તપાસ શરૂ કરવામાં આવી હતી.

રેલવેના અધિકારીના જણાવ્યા અનુસાર આવી ધમકી પહેલી વાર નથી મળી અગાઉ પણ મળી હતી. દર વખતની જેમ આ વખતે પણ ધમકીને ગંભીરતાથી લઈને સ્ટેશનો ઉપરથી પસાર થતી તમામ ટ્રેન અને પ્રવાસીઓની ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. રેલવે સુરક્ષાદળ અને જીઆરપીના સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, ધમકી ભર્યો પત્ર લશ્કર-એ-તૈયબાના એરિયા કમાન્ડના નામથી મોકલવામાં આવ્યો છે. આ અગાઉ પણ વર્ષ 2018માં આવી જ ધમકી આતંકવાદી સંગઠન દ્વારા આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ તંત્ર વધારે એલર્ટ બન્યું છે તેમજ રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં તપાસ કરવામાં આવી રહી છે.

ધમકી ભર્યો પત્ર મળ્યા બાદ આરપીએફ અને જીઆરપીને નિર્દેશ કરવામાં આવ્યો છે કે, કોઈ પણ વ્યક્તિની ઉપર શંકા જાય તો તેની તલાસી લેવી, કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવી નહીં, દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તથા નજીકના સ્થળોએ ફરવા માટે ટ્રેનમાં જતા હોય છે. જેથી દિવાળીના સમયગાળામાં ટ્રેનોમાં ટ્રાફિક વધારે હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code