1. Home
  2. ગુજરાતી
  3. નવા વર્ષમાં આ સ્થળોની લો મુલાકાત,રૂપિયા થઈ જશે વસૂલ
નવા વર્ષમાં આ સ્થળોની લો મુલાકાત,રૂપિયા થઈ જશે વસૂલ

નવા વર્ષમાં આ સ્થળોની લો મુલાકાત,રૂપિયા થઈ જશે વસૂલ

0
Social Share

આપણા દેશમાં ફરવા વાળા લોકોની સંખ્યા ખુબ મોટી છે. દરેક તહેવાર ટાણે લોકો ફરવા માટે તો નીકળી જ જાય છે ત્યારે ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા સરસ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જાણકારી અનુસાર IRCTCના આ પેકેજ (IRCTC ટુર પેકેજ)નું નામ મધ્યપ્રદેશનું જ્યોતિર્લિંગ છે. આ પેકેજ 5 રાત અને 6 દિવસનું છે, જે પ્લેન દ્વારા મધ્યપ્રદેશના જ્યોતિર્લિંગ સ્થળોની મુલાકાત લેશે. તેમજ IRCTCના આ ટૂર પેકેજમાં ઈન્દોર, મહેશ્વર, માંડુ, ઓમકારેશ્વર અને ઉજ્જૈનને આવરી લેવામાં આવશે.

IRCTCનું આ પેકેજ 23 ફેબ્રુઆરી 2023થી શરૂ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે જો તમે આ ટૂર પેકેજનો લાભ લેવા ઈચ્છો છો, તો આ માટે તમે ભુવનેશ્વર એરપોર્ટથી ફ્લાઈટ લઈ શકો છો. પ્રથમ દિવસે ભુવનેશ્વરથી ઈન્દોર સુધી હવાઈ મુસાફરી કરવામાં આવશે.

IRCTC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ પેકેજમાં એર ટિકિટ હશે (ભુવનેશ્વર – ઈન્દોર – ભુવનેશ્વર). ઉપરાંત ત્રણ રાત ઈન્દોર માટે, 1 રાત ઉજ્જૈન માટે અને 1 રાત ઓમકારેશ્વર માટે રહેશે. પાંચ દિવસ માટે નાસ્તો અને ભોજન IRCTC દ્વારા આપવામાં આવશે. એરપોર્ટથી જોવાલાયક સ્થળોએ જવા માટે એસી બસની સુવિધા આપવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code