Homeગુજરાતીભારતથી પાકિસ્તાન પરત પહોંચેલા બિલાવલ ભુટ્ટો ઉપર વિપક્ષે પણ આકરા પ્રહાર કર્યાં

ભારતથી પાકિસ્તાન પરત પહોંચેલા બિલાવલ ભુટ્ટો ઉપર વિપક્ષે પણ આકરા પ્રહાર કર્યાં

નવી દિલ્હીઃ શાંઘાઈ કોઓપરેશન કોન્ફરન્સમાં વિદેશ મંત્રીઓની બેઠકમાં આતંકવાદના મુદ્દે ઘેરાયા બાદ બિલાવલ ભુટ્ટો ઉપર પાકિસ્તાનના વિરોધ પક્ષે આકરા પ્રહાર કર્યાં હતા. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાને બિલાવલની મુલાકાતને પાકિસ્તાનના અપમાન સાથે જોડી છે. એટલું જ નહીં, તેમણે બિલાવલના આ પ્રવાસમાં આવતા ખર્ચ અને આર્થિક સંકટને લઈને પણ પાકિસ્તાન સરકાર પર નિશાન સાધ્યું છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતમાં SCOની બેઠક દરમિયાન કહ્યું હતું કે, લોકોની સામૂહિક સુરક્ષા અમારી સંયુક્ત જવાબદારી છે. વૈશ્વિક સુરક્ષા માટે આતંકવાદ હજુ પણ ખતરો છે. આપણે આતંકવાદને રાજદ્વારી હથિયાર બનાવીને રાજદ્વારી રીતે બચવુ જોઈએ.

જોકે, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના નિવેદન પર પોતાની વક્તા રાખી હતી. જયશંકરે કહ્યું કે, બિલાવલનું નિવેદન ખૂબ જ રસપ્રદ છે કારણ કે તેમણે આકસ્મિક રીતે તેની માનસિકતાનો પર્દાફાશ કર્યો છે. કોઈ વસ્તુને હથિયાર ક્યારે અને કેવી રીતે બનાવી શકાય? જ્યારે કોઈ આ કામને કાયદેસર માનીને કરી રહ્યું હોય ત્યારે જ. આજે કોઈ કહે છે કે, તમે આતંકવાદને શસ્ત્ર બનાવી રહ્યા છો, તેથી તે સ્પષ્ટ છે કે તેઓ માને છે કે આતંકવાદ કાયદેસર છે અને તેને હથિયાર બનાવવું જોઈએ નહીં.

ઈમરાન ખાને પાકિસ્તાનના વિદેશ મંત્રીની ભારતમાં આ રીતે મજાક ઉડાવવા પર ટોણો માર્યો હતો. સુપ્રીમ કોર્ટ અને ચીફ જસ્ટિસ ઉમર બંદિયાલના સમર્થનમાં લાહોરમાં પીટીઆઈની રેલીને સંબોધતા તેમણે કહ્યું, “આખી દુનિયામાં પાકિસ્તાનનું અપમાન થઈ રહ્યું છે. અમે બિલાવલને પૂછીએ છીએ કે જો તમે આખી દુનિયાની મુલાકાત લઈ રહ્યા છો, તો અમને ઓછામાં ઓછું જણાવો. ”

ઈમરાને પૂછ્યું કે, બિલાવલને ભારત આવવાથી શું ફાયદો થયો? આ ટૂર પર થયેલા ખર્ચ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે ટૂર પર જતા પહેલા તમે પૂછો કે આ પૈસા તમે કોના પર ખર્ચો છો. આનો ફાયદો કે ગેરલાભ શું હશે?

સંબંધિત લેખો

Most Popular