- કોરના કાળમાં સુગર મિલોને રાહત આપવા સરકારનો નિર્ણય
- સરકારે ખાંડની નિકાસ માટેની સમયમર્યાદા વધુ ત્રણ મહિના વધારી
- તેનાથી સુગર મિલોને વધારે ખાંડ નિકાસ કરવાની તક સાંપડશે
હાલમાં કોરોના કાળને કારણે જ્યારે સુગર મિલો રોકડની અછતનો સામનો કરી રહી છે ત્યારે સરકારે સુગર મિલોને રાહત આપવા મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ખાંડની નિકાસ માટેની સમયમર્યાદા વધુ ત્રણ મહિના વધારીને ડિસેમ્બર 2020 સુધી લંબાવી દીધી છે. તેનાથી સુગર મિલોને વધારે ખાંડ નિકાસ કરવાની તક સાંપડશે. પ્રવર્તમાન મહામારી દરમિયાન વૈશ્વિક સપ્લાયમાં ઘટાડાનો લાભ દેશની સુગર મિલોને મળવાની સંભાવના છે. તેનાથી મિલો ખેડૂતોને શેરડીના બાકી રૂપિયાની ચૂકવણી કરવામાં પણ સક્ષમ બનશે.
આપને જણાવી દઇએ કે ચાલુ ખાંડની સીઝન દરમિયાન સુગર મિલોએ 57 લાખ ટનના નિકાસ કરાર કર્યા છે, 60 લાખ ટનના નિકાસ લક્ષ્યાંકની નજીક છે.
પ્રતિ વર્ષ સરકાર, મેક્સિમમ એડમિસિબલ એક્સપોર્ટ ક્વોન્ટિટી હેઠળ નિકાસની માટે અલગ અલગ સુગર મિલોનો ક્વોટા નક્કી કરી છે.
ખાદ્ય મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહ્યુ કે, એવો નિર્ણય લેવાયો છે કે એવી સુગર મિલો, તેમણે ચાલુ મહિનાના અંત સુધીમાં આંશિક રીતે ખાંડ સીઝન 2019-20ના એમએઇક્યુ ક્વોટાની નિકાસ કરી છે, તેમને ચાલુ કેલેન્ડર વર્ષના અંત સુધી પોતાને ફાળવેલા ક્વોટાના બાકી હિસ્સાની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.
સરકારના આ નિર્ણયથી સુગર મિલોની પાસે રોકડ રકમ વધશે, જેનાથી તેઓ શેરડી ઉત્પાદક ખેડૂતોને બાકી રકમની ઝડપથી ચૂકવણી કરી શકશે. સરકાર સુગર મિલોને ખાંડની નિકાસ માટે પ્રતિ ટન દીઠ 10,448 રૂપિયાની સબસિડી આપે છે. સુગર મિલો પર શેરડી ઉત્પાદક ખેડૂતોનું રૂ.13,000 કરોડનું બાકી લેણું છે.કોરોના મહામારીને લીધે સપ્લાયમાં વિક્ષેપ પડતા વૈશ્વિક બજારમાં ખાંડની માંગ વધી છે.
(સંકેત)