કેન્દ્ર સરકારે વિકલાંગ વ્યક્તિઓ માટે તકો ઊભી કરી: પીએમ મોદી
PM નરેન્દ્ર મોદીએ વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર આપણી દિવ્યાંગ બહેનો અને ભાઈઓના મનોબળ અને સિદ્ધિઓની પ્રશંસા કરી છે.
PMએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય વિકલાંગ વ્યક્તિઓના દિવસે હું આપણી દિવ્યાંગ બહેનો અને ભાઈઓના મનોબળ અને સિદ્ધિઓની પ્રશંસા કરું છું. આપણી સરકારે અસંખ્ય પહેલો હાથ ધરી છે જેણે વિકલાંગ વ્યક્તિઓ માટે તકો ઊભી કરી છે અને તેમને ઝળકવા માટે સક્ષમ બનાવ્યા છે.” “અમારી સરકાર સુલભતા પર સમાન રીતે ધ્યાન કેન્દ્રીત કરે છે, જે ફ્લેગશિપ પ્રોગ્રામ્સ અને નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાના નિર્માણમાં પ્રતિબિંબિત થાય છે. હું વિકલાંગ વ્યક્તિઓના જીવનમાં સકારાત્મક તફાવત લાવવા માટે પાયાના સ્તરે કામ કરતા તમામ લોકોના કાર્યોની પણ પ્રસંશા કરવા માગું છું.
” આ ઉપરાંત PMએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતી પર યાદ કર્યા હતા. પ્રધાનમંત્રીએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે અને ટ્વીટ કહ્યું હતું કે, “ડો. રાજેન્દ્ર પ્રસાદજીને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. એક સુપ્રસિદ્ધ નેતા, તેઓ હિંમત અને વિદ્વતાપૂર્ણ ઉત્સાહનું પ્રતિક હતા. તેઓ ભારતની સંસ્કૃતિમાં મજબૂત રીતે જોડાયેલા હતા અને તેઓ ભારતના વિકાસ માટે ભવિષ્યવાદી દ્રષ્ટિકોણ ધરાવતા હતા.”