અંદામાન નિકોબારમાં અનુભવાયા ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંધાઈ
- અંદામાન નિકોબારમાં ભૂકંપના આચંકા
- અહી અવાર નવાર ઘરતી ઘ્રજીતતી જોવા મળે છે
દિલ્હીઃ- દેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આચંકાઓ આવવાની સતત ઘટના બનતી જોવા મળી રહી છએ વિતેલા દિવસને બુધવારના રોજ દિલ્હી સહીતના આજુબાજુના વિત્સારનમાં ભૂકંપના આચંકાઓ આવ્યા હતા ત્યારે આજે હવે અંદામાન નિકોબારની ઘરા ઘ્રુજી ઉઠી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલી રાત્રે આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સવારે અડધી રાત્રે 2.29 વાગ્યે આ આંચકા અનુભવાયા હતા.
જો ભૂકંપની તીવ્રતા વિશે વાત કરીએ તો તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.ઉલ્લેખનીય કે આ પ્રદેશમાં અનેક વખત આ પ્રકારના આચંકાઓ અનુભવાયા છે.